Vaccine

Corona vaccine dose spoiled: આ કંપનીની કોવિડ વેક્સિનના અધધ 5 કરોડ ડોઝ બે મહિના પછી થઈ જશે બેકાર- નથી મળી રહ્યું કોઈ ખરીદદાર

Corona vaccine dose spoiled: ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે

નવી દિલ્હી, ૦૯ નવેમ્બર: Corona vaccine dose spoiled: ભારતમાં કોરોના વાયરસનો કહેર ઘણો ઓછો થયો છે. હવે અહીં દરરોજ 1,000 થી 1,500 કેસ નોંધાઈ રહ્યા છે. આમાં કોરોના વેક્સિને મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે ભારત બાયોટેક પાસે કોરોના રસીના લગભગ ૫ કરોડ ડોઝ બાકી છે. તેનો ઉપયોગ કરવાની સમયમર્યાદા આવતા વર્ષે પૂરી થશે. ઓછી માંગને કારણે તેમની પાસે કોઈ ખરીદનાર નથી. વેક્સિનની ઓછી માંગના કારણે ભારત બાયોટેકે આ વર્ષની શરૂઆતમાં બે ડોઝ કોવેક્સીન રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. જાે કે, તેણે ૨૦૨૧ના  અંત સુધીમાં એક અબજ ડોઝનું ઉત્પાદન કર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે ભારત બાયોટેક પાસે જથ્થાબંધ કોવેક્સીનના ૨૦ કરોડથી વધુ ડોઝ છે અને શીશીઓમાં લગભગ ૫૦ મિલિયન ડોઝ ઉપયોગ માટે તૈયાર છે. રસીની માંગ ઓછી હોવાને કારણે આ વર્ષની શરૂઆતમાં સાત મહિના પહેલા કોવેક્સીનનું ઉત્પાદન અટકાવી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, શીશીઓમાં કોવેક્સીનના ડોઝનો ઉપયોગ કરવાની સમયમર્યાદા ૨૦૨૩ની શરૂઆતમાં સમાપ્ત થવાની છે, જેના કારણે કંપનીને નુકસાન થશે. જાે કે, આવતા વર્ષે ૫ કરોડ ડોઝના ઉપયોગથી ભારત બાયોટેકને કેટલું નુકસાન થશે તે હજુ સુધી જાણી શકાયું નથી.

વિશ્વભરમાં સંક્રમણના નીચા દરને કારણે કોવેક્સીનની નિકાસ પર ખરાબ અસર પડી છે. સૂત્રોએ જણાવ્યું કે, વૈશ્વિક સ્તરે કોવિડ-૧૯ને હવે ખતરો માનવામાં આવતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે એપ્રિલમાં યુએન પ્રોક્યોરમેન્ટ એજન્સીઓ દ્વારા રસીના સપ્લાયને સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી અને ભલામણ કરી હતી કે રસીનો ઉપયોગ કરનારા દેશો યોગ્ય પગલાં લે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કોવિડ-૧૯ સંક્રમણ ચરમસીમા પર હતું ત્યારે બ્રાઝિલની સરકારે વિવાદ બાદ રસીના ૨ કરોડ ડોઝ આયાત કરવાના ર્નિણયને સ્થગિત કરી દીધો હતો.

આ પણ વાંચો: Kejriwal gujarat voter promise: અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ચૂકવીશ: કેજરીવાલ

Gujarati banner 01