Delhi Building Collapse: દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના, ઈમારત ધરાશાયી થતા 3ના મોત

Delhi Building Collapse: 6થી 7 મજૂરો અને કેટલાક બાળકો દટાયા હોવાની આંશકા

દિલ્હી, 09 સપ્ટેમ્બરઃDelhi Building Collapse: દિલ્હીના આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અનેક મજૂરો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. અનેક ઘાયલ પણ થયા છે.  ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એવી આશંકા છે કે 6થી 7 મજૂરો દટાયેલા હોઈ શકે છે. કેટલાક બાળકો પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચોઃ Ganesh visarjan 2022: આજે વિઘ્નહર્તાની વિદાય, જાણો અંત ચૌદશના વ્રત વિશે

નિર્માણધીન ઈમારત ધરાશાયી થવાના સમાચાર ફાયર વિભાગને સવારે લગભગ સાડા આઠ વાગે મળ્યા હતા. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કર્યું. સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Gujarat Rain update:દરિયાઈ વિસ્તારના માછીમારો માટે ચેતવણી, હજી બે દિવસ વરસાદની આગાહી

Gujarati banner 01