Fire Broke out in Jaipur: જયપુરમાં 3 બાળકો સહિત પરીવારના 5 સભ્યો જીવતા આગમાં ભૂંજાયા
Fire Broke out in Jaipur: વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ
જયપુર, 21 માર્ચઃ Fire Broke out in Jaipur: જયપુરના વિશ્વકર્મામાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ. અહીં એક મકાનમાં ભીષણ આગ લાગતાં 5 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. વિશ્વકર્માના જૈસલ્યા ગામમાં આગની લપેટમાં આવનારા લોકોમાં 3 બાળકો પણ સામેલ હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તમામ મૃતકો બિહારના વતની હોવાની માહિતી મળી રહી છે. પોલીસે એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી.
આ પણ વાંચોઃ 31 March Last Date: આગામી 10 દિવસમાં કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરો, નહીંતો નુકસાન કરવુ પડી શકે છે
માહિતી અનુસાર રાતે જ્યારે પરિવારના લોકો સૂતા હતા તે સમયે જ આગ લાગી હતી. તેમને બહાર નીકળવાની તક પણ ના મળી. આગથી બચવા તેઓ એક ખૂણામાં છુપાઈ ગયા હતા. જ્યાં જીવતા જ ભડથું થઇ ગયા.