arvind kejriwal in jail

Kejriwal aalu puri & mango in jail: EDએ તિહાર જેલમાં કેજરીવાલની મીઠાઈ, બટેટા અને પુરી ખાવા પર કર્યો મોટો ખુલાસો

Kejriwal aalu puri & mango in jail: EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેજરીવાલ જાણીજોઈને મીઠાઈ ખાઈ રહ્યા છે જેથી તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે.

whatsapp banner

દિલ્લી, 18 એપ્રિલ: Kejriwal aalu puri & mango in jail: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલની અરજી પર દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, જે દરમિયાન EDએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલ જાણી જોઈને વધુ મીઠાઈઓ ખાઈ રહ્યા છે જેથી તેમનું શુગર લેવલ વધી શકે અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે.

આ પણ વાંચો:- Simsa Mata Mandir: એવુ અનોખું માતાજીનું મંદિર, જ્યાં પ્રટાંગણ પર ઊંઘતા જ નિસંતાન મહિલા થઈ જાય છે પ્રેગ્નન્ટ…

EDએ કોર્ટમાં કહ્યું કે કેજરીવાલને ટાઇપ-2 ડાયાબિટીસ છે. તેમ છતાં તે જેલમાં જાણી જોઈને આલુ-પુરી, કેરી અને મીઠી વસ્તુઓ ખાય છે. તેઓ જાણી જોઈને આ કરી રહ્યા છે. EDએ કહ્યું કે કોર્ટે તેને ઘરનું ભોજન ખાવાની મંજૂરી આપી છે. કેજરીવાલની આહાર યાદી પણ અમને મોકલવામાં આવી છે. તેને બ્લડપ્રેશરની સમસ્યા પણ છે, આમ છતાં તે શું ખાય છે?

કેજરીવાલના વકીલે EDના આ દાવા પર કહ્યું કે ED મીડિયા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યું છે. શું ડાયાબિટીસના દર્દીને આ પ્રકારનો ખોરાક આપી શકાય?

આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે શુક્રવારે થશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો