Mukesh Ambani at Badrinath and Kedarnath Dhams: RILના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી
Mukesh Ambani at Badrinath and Kedarnath Dhams: મુકેશ અંબાણીએ કરી દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના
નવી દિલ્હી, 13 ઓક્ટોબર: Mukesh Ambani at Badrinath and Kedarnath Dhams: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી દેશની સમૃદ્ધિની કામના કરી હતી.
ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી.
બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું.
આ પણ વાંચોઃ Good news for state gov employees: સારા સમાચાર, રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનરોની દિવાળી સુધરશે