PM Modi in Ahmedabad

PM Modi Will Visit Maharashtra-Karnataka & Tamilnadu: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે

PM Modi Will Visit Maharashtra-Karnataka & Tamilnadu: પ્રધાનમંત્રી ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કરશે

  • પ્રધાનમંત્રી બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કરશે- અમેરિકા બહાર બોઇંગનું આ પ્રકારનું સૌથી મોટું રોકાણ
  • પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યની 8 અમૃત પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે

અમદાવાદ, 18 જાન્યુઆરીઃ PM Modi Will Visit Maharashtra-Karnataka & Tamilnadu: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 

પ્રધાનમંત્રી બપોરે લગભગ 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભમાં સાંજે 6 વાગે સહભાગી થશે.

સોલાપુરમાં પ્રધાનમંત્રી

સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યનાં 8 અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) પ્રોજેક્ટનું શિલારોપણ કરશે.

પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધારે મકાનોનું લોકાર્પણ કરશે. ઉપરાંત તેઓ સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીનાં 15,000 મકાનોનું લોકાર્પણ પણ કરશે, જેના લાભાર્થીઓમાં હાથવણાટનાં હજારો કામદારો, વિક્રેતાઓ, પાવરલૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો, ડ્રાઇવરો વગેરે સામેલ છે.

ઉપરાંત પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાની શરૂઆત કરશે.

પ્રધાનમંત્રીએ બેંગાલુરુમાં

પ્રધાનમંત્રી બેંગાલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર (બીઇઇટીસી) કેમ્પસનું ઉદઘાટન કરશે. 1,600 કરોડ રૂપિયાના રોકાણ સાથે નિર્મિત 43 એકરનું આ કેમ્પસ બોઇંગનું અમેરિકાની બહાર આ પ્રકારનું સૌથી મોટું રોકાણ છે. ભારતમાં બોઇંગનું નવું કેમ્પસ ભારતમાં વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ, ખાનગી અને સરકારી ઇકોસિસ્ટમ સાથે ભાગીદારી માટે પાયાનો પથ્થર બનશે અને વૈશ્વિક એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગ માટે આગામી પેઢીના ઉત્પાદનો અને સેવાઓ વિકસાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રી બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પણ શુભારંભ કરશે, જેનો ઉદ્દેશ ભારતભરની વધુ છોકરીઓને દેશનાં વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશને ટેકો આપવાનો છે. આ કાર્યક્રમથી ભારતભરની છોકરીઓ અને મહિલાઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ અને મેથ્સ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ કૌશલ્યો શીખવાની તક મળશે તથા ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારી માટે તાલીમ મળશે. 

યુવાન છોકરીઓ માટે આ કાર્યક્રમ 150 આયોજિત સ્થળો પર STEM Labsનું સર્જન કરશે, જેથી STEM કારકિર્દીમાં રસ જગાવવામાં મદદ મળશે. આ પ્રોગ્રામમાં પાઇલટ બનવાની તાલીમ લઈ રહેલી મહિલાઓને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023માં

રમતગમતના પાયાના સ્તરે વિકાસને પ્રોત્સાહન આપવાની અને રમતગમતની ઉભરતી પ્રતિભાઓને ખીલવવાની પ્રધાનમંત્રીની અડગ પ્રતિબદ્ધતાને પરિણામે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો પ્રારંભ થયો હતો. પ્રધાનમંત્રી છઠ્ઠી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનાં મુખ્ય અતિથિ હશે, જેનું આયોજન ચેન્નાઈમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં થશે. આ પહેલી વખત છે જ્યારે દક્ષિણ ભારતમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. 

આ રમતો તમિલનાડુનાં ચાર શહેરો ચેન્નાઈ, મદુરાઈ, ત્રિચી અને કોઈમ્બતૂરમાં 19થી 31 જાન્યુઆરી, 2024 સુધી રમાશે. રમતો માટેનો માસ્કોટ વીરા મંગાઇ છે. રાણી વેલુ નાચિયાર, જેને પ્રેમથી વીરા મંગાઈ તરીકે ઓળખવામાં આવે છે, તે એક ભારતીય રાણી હતી જેણે બ્રિટીશ વસાહતી શાસન સામે યુદ્ધ છેડ્યું હતું. માસ્કોટ ભારતીય મહિલાઓની બહાદુરી અને ભાવનાનું પ્રતીક છે, જે નારી શક્તિની શક્તિનું પ્રતીક છે. રમતોના લોગોમાં કવિ થિરુવલ્લુવરની આકૃતિ શામેલ છે.

ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સનાં આ સંસ્કરણમાં 5600થી વધારે રમતવીરો ભાગ લેશે, જે 15 સ્થળો પર 13 દિવસ સુધી ચાલશે, જેમાં 26 રમતગમત, 275થી વધારે સ્પર્ધાત્મક કાર્યક્રમો અને 1 ડેમો સ્પોર્ટ સામેલ છે. રમત-ગમતની 26 શાખાઓમાં પરંપરાગત રમતો જેવી કે ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન વગેરે અને કલારિપયટ્ટુ, ગટકા, થાંગ તા, કબડ્ડી અને યોગાસન જેવી પરંપરાગત રમતોનો સમાવેશ થાય છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના ઈતિહાસમાં તમિલનાડુની પરંપરાગત રમત સિલામ્બામને ડેમો સ્પોર્ટ તરીકે સૌપ્રથમ વખત રજૂ કરવામાં આવી રહી છે.

ઉદઘાટન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. તેમાં ડીડી તમિલ તરીકે સંશોધિત ડીડી પોધીગાઇ ચેનલ શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. 8 રાજ્યોમાં 12 આકાશવાણી એફએમ પ્રોજેક્ટ્સ; અને જમ્મુ-કાશ્મીરમાં 4 ડી.ડી. આ ઉપરાંત પ્રધાનમંત્રી 12 રાજ્યોમાં 26 નવી એફએમ ટ્રાન્સમિટર પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

આ પણ વાંચો…. DRI Seized Ketamine in Ahmedabad: DRIએ અમદાવાદમાંથી કરોડોની કિંમતનું કેટામાઇન જપ્ત કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો