Threats to kill PM and Yogi: પીએમ અને સીએમ યોગી ને જાન થી મારી નાખવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

Threats to kill PM and Yogi: આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે

લખનઉ, ૦૮ નવેમ્બર: Threats to kill PM and Yogi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને રવિવારે એક વ્યક્તિએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કથિત ધમકી બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. DCP પ્રમોદકુમાર તિવારીએ જણાવ્યું કે આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે અમને UP-112 (પોલીસ હેલ્પલાઈન) દ્વારા તેની સૂચના મળી. કોઈએ ટ્વિટર પર શરારત કરી છે. 

ટ્વિટર પર ધમકી આપનારા વ્યક્તિનું નામ પૂછવામાં આવતા પ્રમોદ તિવારીએ આશંકા વ્યક્ત કરી કે શક્ય છે કે ફ્રોડ અને ખોટા નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ટ્વિટર એકાઉન્ટથી ધમકી આપવામાં આવી હોય. આથી જ્યાં સુધી તપાસ ન કરાય અને મજાક કરનારાનું અસલ નામ સરનામું ખબર ન પડી જાય ત્યાં સુધી કોઈનું નામ લેવું યોગ્ય નથી. પોલીસે આ મામલે ટ્વિટર પાસે જાણકારી માંગી છે.

આ પણ વાંચો: Chhattisgarh CRPF firing: સુકમામાં CRPF જવાને પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કર્યું, 4ના મોત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને અગાઉ પણ અનેકવાર ધમકી સાથે સોશિયલ મીડિયા પર આપત્તિજનક કમેન્ટ થઈ ચૂક્યા છે. જેના પર પોલીસે કેસ દાખલ કરવાની સાથે-સાથે અનેક આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલ્યા છે. 

Whatsapp Join Banner Guj