Holashtak 2024

Holashtak 2024 : આજથી હોળાષ્ટક શરુ, જાણો શા માટે ના કરવા જોઇએ આ દિવસોમાં માંગલિક શુભ પ્રસંગો?

Holashtak 2024 : આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થયો

ધર્મ ડેસ્ક, 16 માર્ચઃ Holashtak 2024 : આજે ફાગણ સુદ-આઠમ શનિવારે છે અને તેની સાથે જે હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે. હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે. 

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરેના 12:37 બાદ સૂર્યદેવે કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જેની સાથે જ મીનારક કમૂર્તાની શરૂઆત થઈ હતી. આગામી 13 એપ્રિલના મીનારક કમૂરતાની સમાપ્તિ થશે. આ દરમિયાન હવે હોળાષ્ટકનો પણ પ્રારંભ થયો છે.

આ પણ વાંચોઃ Holi Special ST Bus: ગુજરાત સરકારે હોળી અને ધૂળેટીના તહેવારો નિમિત્તે સ્પેશિયલ બસો ગોઠવી – વાંચો વિગત

હોળી 24 માર્ચે છે ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. જેના પગલે રાત્રે 10:50 બાદ જ હોલિકા દહન થઈ શકશે. આ દિવસે ફાગણ પૂર્ણિમાને પગલે ચંદ્રગ્રહણ છે પણ છે, જે ભારતમાં દેખાવાનું નથી. શાસ્ત્રવિદના મતે હોળાષ્ટક દરમિયાન લગ્ન, સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ. આ ઉપરાંત ઘર-જમીન-વાહન ખરીદવા જેવા મહત્ત્વપૂર્ણ કામ કરવા જોઈએ નહીં.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો