kashi

jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

jyotirling darshan: એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે

ધર્મ ડેસ્ક, 24 ઓગષ્ટઃ jyotirling darshan: ભગવાન શિવજી ની પુજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. આપણા દેશમાં ભગવાન શિવજીનાં બાર જ્યોતિર્લિંગ વિશ્વ પ્રસિદ્ધ છે, જેના વિશે એવું કહેવામાં આવે છે કે તેના દર્શન માત્રથી વ્યક્તિના જીવનના સમસ્ત પાપ નષ્ટ થઇ જાય છે અને ભય માંથી છુટકારો મળે છે. આજે એક એવા વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જેના દર્શનથી જ વ્યક્તિને બધા પ્રકારના સાંસારિક ભયમાંથી છુટકારો મળી જાય છે.

હકીકતમાં અમે ભગવાન શિવના જે જ્યોતિર્લિંગ(jyotirling darshan) વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં સ્થિત છે. જેને કાશી વિશ્વનાથ મંદિરના નામથી દુનિયાભરમાં ઓળખવામાં આવે છે. આ સ્થાન પર દુનિયાના ખુણેખુણા માંથી શ્રદ્ધાળુ શિવજીના દર્શન કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે.

આ પણ વાંચોઃ Banu district: અફઘાનિસ્તાનના તાલિબાન અને વિરોધી યોદ્ધાઓ વચ્ચે જોરદાર ટકરાવ, જિલ્લા પ્રમુખ સહિત 50 ઠાર મરાયા, 20ને બંધી બનાવાયા

કાશી વિશ્વનાથ મંદિર ગંગા નદીના કિનારા પર સ્થિત છે, જ્યાં દર્શન કરવા માટે દર વર્ષે ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે. પરંતુ શ્રાવણ મહિનામાં અહીંયા ભારે માત્રામાં ભક્તોની ભીડ રહેતી હોય છે. દેશ જ નહીં પરંતુ વિદેશોમાંથી શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવજીના દર્શન કરવા માટે આવે છે.

હિન્દુ ધર્મગ્રંથોમાં કાશી વિશ્વનાથજી નાં મહત્ત્વ અને મહિમાનો વિસ્તારપુર્વક ઉલ્લેખ કરવામાં આવેલ છે. એવું જણાવેલ છે કે કાશી વિશ્વનાથજી નાં દર્શન માત્રથી વ્યક્તિના જીવનના બધા સાંસારિક ભયનો નાશ થઈ જાય છે. એટલું જ નહીં વ્યક્તિના જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે સેંકડો જન્મોના પુણ્યોનાં ફળથી જ વ્યક્તિને કાશીવિશ્વનાથજી નાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શિવપુરાણમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે કાશીમાં દેવાધિદેવ વિશ્વનાથજી(jyotirling darshan) ની પુજા અર્ચના કરવાથી વ્યક્તિને બધા પાપમાંથી છુટકારો મળીને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ બધા પ્રકારના સાંસારિક ભય દુર કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માંગો છો તો તેના માટે તમારે પોતાના જીવનમાં એક વખત આ પાવન નગરીમાં આવીને કાશીવિશ્વનાથજી નાં દર્શન જરૂરથી કરવો જોઈએ. તેનાથી તમને લાભ અવશ્ય પ્રાપ્ત થશે.

આ પણ વાંચોઃ jumper shaili singh: ભારતની શૈલી સિંઘને લોંગ જમ્પમાં મેળવ્યો સિલ્વર મેડલ, વાંચો વિગત

Whatsapp Join Banner Guj