Abdul Kalam Teacher Memorial Award: જામનગરની શિક્ષિકા વૈશાલી રાડિયા ની રાષ્ટ્રકક્ષાએ પસંદગી
Abdul Kalam Teacher Memorial Award: અબ્દુલ કલામ પર યોજાયેલી સ્પર્ધામાં સમગ્ર દેશના અનેક સ્પર્ધકો માં વૈશાલી રાડિયા ની પસંદગી થતા શિક્ષણજગત માં આનંદ
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૭ ઓક્ટોબર: Abdul Kalam Teacher Memorial Award: વિખે પાટિલ ફાઉન્ડેશન કલામ સેન્ટર દ્વારા અબ્દુલ કલામ ટીચર મેમોરિયલ એવોર્ડ 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતભરમાંથી ગુજરાતનાં જામનગર ન નગરપ્રાથમિક સિક્ષણ સમિતિ ની સ્કૂલ ના શિક્ષિકા ની પસંદગી થઈ છે આબદુલ કલામ ટીચર એવોર્ડ થી સન્માનીત કરવામાં આવશે
પૂર્વ રાષ્ટ્રપતિ સર અબ્દુલ કલામ ના નેવું માં માં જન્મદિવસ નિમિતે વિખે પાટિલ ફાઉન્ડેશન કલામ સેન્ટર દ્વારા ‘સર અબ્દુલ કલામ ટીચર એવોર્ડ્સ 2021’નું (Abdul Kalam Teacher Memorial Award) આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંતિમ રાઉન્ડ માં 22 ફાઇનાલિસ્ટમાંથી એવોર્ડ સેરેમની માં પસંદ થયેલ ભારતભરના 6 શિક્ષકો માંથી ગુજરાત ના જામનગર ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળા નંબર 41 ના શિક્ષિકા વૈશાલીબેન રાડીયા ની ‘ સર અબ્દુલ કલામ ટીચર એવોર્ડસ 2021’ માટે પસંદ કરવામાં આવ્યા છે
આ એવોર્ડ માટે શિક્ષિકાની સારી કામગીરી ઉપરાંત વિધ્યાર્થીઓ પ્રત્યે તેમની લાગણી અને સલાહસૂચનો પણ જોવા માં આવે છે વિધ્યાર્થીઓને માત્ર પુસ્તક જ્ઞાન સાથે તમામ પ્રકારની માહિતી, સંસ્કાર અને પ્રેરણા આપવાની કાર્યશૈલી પર આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે
આ અંગે વૈશાલીબેન ના ભુતપૂર્વ વિધ્યાર્થિની શિવાંગી રાઠોડ સાથે ચર્ચા કરતાં તેમણે જણાવ્યુ હતું કે હું પહેલા ધોરણ થી વૈશાલીબેન પાસે ભણતી અને અમને પુસ્તક ના જ્ઞાન સાથે હિંમત અને પ્રેરણા પર પૂરું પાડતા હતા જ્યારે કોઈ કાર્યક્રમ માં સ્ટેજ પર પરફોન્સ આપવાનું હોય ત્યારે તે અમને ઘણી હિંમત અને પ્રેરણા તેમજ માર્ગદર્શન આપતા આજે તેમને આ એવોર્ડ મળશે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ અને વૈશાલીબેન ને ખૂબ શુભેચ્છા આપીએ છીએ