Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૮ સપ્ટેમ્બર: Mukesh Patel ambaji darshan: ગુજરાત રાજ્ય ની નવી સરકાર માં મંત્રીઓ ની નવનિયુક્તિ બાદ મંત્રીઓ હવે દેવદર્શને પહોંચી રહ્યા છે રાજ્ય ના નવનિયુક્ત કૃષિ ને ઉર્જા મંત્રી મુકેશ પટેલ જે ઓલપાડ વિસ્તાર ના ધારાસભ્ય છે ને તેમને મંત્રી બનાવ્યા બાદ તેઓ આજે સજોડે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા ને મંદિર ના ગર્ભગૃહ માં બેસી મુખ્ય પુજારીએ તેમને પૂજા અર્ચના કરાવી હતી
આ પણ વાંચો…Flora Collector for one day: “મારે કલેક્ટર બનવુ છે”…..અને ફ્લોરા એક દિવસ માટે કલેક્ટર બની…
આ પ્રંસગે મંદિર ના વહીવટદાર એસજે ચાવડાએ સ્મૂતિચિન્હ સ્વરૂપે ભેટ અર્પણ કર્યું હતું ને ત્યાર બાદ (Mukesh Patel ambaji darshan) મુકેશ પટેલે મહાદેવ જીના મંદિર માં શિવ અર્ચના પણ કરી હતી ને માતાજી ને ગાદી ઉપર ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવી રક્ષાપોટલી પણ બંધાવી હતી તેમજ અંબાજી મંદિર ના શિખરે ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી સાથે પોતાની આસ્થા અનુસાર પૌત્ર ના નામે 50 ગ્રામ સોનુ અંદાજે કિંમત 2.40 લાખ નું મંદિર ટ્રસ્ટ ને સુવર્ણમય કામગીરી માટે અર્પણ કર્યું હતુ
અંબાજી પહોંચેલા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સામાન્ય કાર્યકર ની પણ કદર કરે છે તેમાં કોઈજ પરિવાર વાદ કરતો નથી સાથે તેમને અંબાજી માં ગતમોડી રાત્રીએ ત્રણ પદયાત્રીઓ ના અકસ્માત માં મોત નીપજેલ તેમને પણ શ્રદ્ધાંજલિ આપી હતી અને વાહન ચાલકો ને સાવચેતી થી વાહન ચલાવા અપીલ કરી હતી.