Ambaji gram panchayat bhavan: અંબાજી ગ્રામ પંચાયત ભવન મા વિપુલ ભાઈ દ્વારા ગાયત્રી હોમ કરી ને આજે પંચાયત ભવન ને ખુલ્લું મુકવામાં આવ્યું
Ambaji gram panchayat bhavan: ભારત સરકાર ની ડો.શ્યામા પ્રસાદ મૂર્ખરજી રૂર્બન યોજના હેઠળ ગ્રામવિકાસ એન્જસી પાલનપુર દ્વારા રૂપિયા 58 લાખ ની માતબર રકમ થી તૈયાર કરવામાં આવ્યું છે
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ ઓગસ્ટ: Ambaji gram panchayat bhavan: સુપ્રસિધ્ધ યાત્રાધામ ને શક્તિપીઠ અંબાજી ખાતે ગ્રામ પંચાયત કચેરી નું મકાન 50 વર્ષ ઉપરાંત જૂનું અને જર્જરિત બનતા નવા પંચાયત ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે ભારત સરકાર ની ડો.શ્યામા પ્રસાદ મૂર્ખરજી રૂર્બન યોજના હેઠળ ગ્રામવિકાસ એન્જસી પાલનપુર દ્વારા રૂપિયા 58 લાખ ની માતબર રકમ થી તૈયાર કરવામાં આવ્યું છે
જોકે કોરોના ની (Ambaji gram panchayat bhavan) સંપૂર્ણ ગાઇડલાઇન પ્રમાણે અડધા કરોડ રૂપિયા ની માતબર રકમ થી બનેલા પંચાયત ભવન નું ખુબજ સાદગી પૂર્ણ રીતે કોઈપણ નેતા કે મંત્રી વગર ગ્રામપંચાયત ના સરપંચ,સભ્યો અને કર્મચારીઓ સહીત ખુબજ ઓછી સંખ્યા માં ઉપસ્થિત લોકો સાથે પંચાયત ભવન મા વિપુલ ભાઈ દ્વારા ગાયત્રી હોમ કરી ને આજે પંચાયત ભવન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું
જોકે આ ભવન માં (Ambaji gram panchayat bhavan) દ્વારા જ ગ્રામજનો સહીત અરજદારો માટે વિવિધ સુવિધા સભર અને ગુજરાતભર નું સૌથી મોટું અને માતબર રકમ નું પંચાયત ભવન અંબાજી ખાતે નિર્મિત કરવામાં આવ્યું છે ને ડો.શ્યામા પ્રસાદ મૂર્ખરજી રૂર્બન યોજના અંબાજી માટે આશિર્વાદ રૂપ બની છે તેમ જે.ડી રાવલ (સેક્રેટરી ગ્રામપંચાયત)અંબાજી એ જણાવ્યુ હતુ