BJP chintan shivir: ભાજપની ચિંતન બેઠક – અભ્યાસ વર્ગ થયો જેમાં પૂર્ણ સમયે ચૂંટણીલક્ષી ચિંતા કરવામાં આવી: અમિત શાહ

BJP chintan shivir: કેન્દ્રિય નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી.

અમદાવાદ, 17 મે: BJP chintan shivir: અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકાના કેન્સવિલે ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઈ શાહ , કેન્દ્રીયમંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, ગુજરાત રાજ્યના સહ પ્રભારી સુધીર ગુપ્તાજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય ચિંતન બેઠકમાં અમિત શાહે અંતિમ દિવસે તેમના ભાષણમાં બીજેપીના મંત્રીઓ, કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. 

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, ભાજપની ચિંતન બેઠક – અભ્યાસ વર્ગ થયો જેમાં પૂર્ણ સમયે ચૂંટણીલક્ષી ચિંતા કરવામાં આવી. અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને સરકાર અને સંગઠનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ ચૂંટણી તૈયારી સામેના પડકારો અને પ્રચંડ બહુમતિ સાથે જીતવી તે જ મુખ્ય વિષય રહ્યો હતો તેમ અમિત શાહે સંબોધન કરતા તેમના ભાષણની અંદર જણાવ્યું હતું. આ વિશેષ બેઠકમાં અમિત શાહની ઉપસ્થિતિએ કાર્યકર્તાઓમાં જોમ ભર્યો હતો. 

આ પણ વાંચો..Health care: આમળાના પાઉડરમાં મધ મિક્સ કરીને રોજ ખાઓ, બીમાર નહીં પડો

Gujarati banner 01