રાશિ અનુસાર આ ઉપાય કરવાથી ધનવાન બનવાની ઇચ્છા થશે પુર્ણ
ધર્મ ડેસ્ક,23 ડિસેમ્બરઃ તમે ઇચ્છો છો કે જીવનના અંતિમ સમય સુધી તમને કે તમારા પરિવારજનોને ક્યારેય પણ પૈસાની ખોટ ન થાય તો જરુરથી આ કામ કરજો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઇ પોતાની રાશિ પ્રમાણે રોજ નીચે જણાવેલા ઉપાયો કરશે તો ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. આ ઉપાયો કોઇ પણ મંગળવાર કે શનિવારના દિવસથી શરુ કરી શકાય છે.
- મેષ રાશિના જાતક એકમુખી હનુમંત કવચનો પાઠ કરો તથા હનુમાનજીને બૂંદીનો ભોગ લગાવ્યા બાદ તેને બાળકોમાં વહેંચી દો.
- વૃષભ રાશિના જાતક શ્રીરામચરિત માનસના સુંદર કાંડનો પાઠ કર્યા બાદ હનુમાનજીને ગળી રોટલીનો ભોગ લગાવીને વાંદરાને ખવડાવો.
- મિથુન રાશિના જાતક શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડનો પાઠ કરો. બજરંગબલીના 5 પાનને ભોગ લગાવીને ગાયને ખવડાવો.
- કર્ક રાશિના જાતક પંચમુખી હનુમંત કવચનો પાઠ કર્યા બાદ હનુમાનજીને પીળા ફૂલ ચઢાવ્યા બાદ તે ફૂલને જળમાં પ્રવાહિત કરી દો.
- સિંહ રાશિના જાતક શ્રીરામચરિત માનસના બાળકાંડનો પાઠ કર્યા બાદ હનુમાનજીને ગોળથી બનેલી ગળી રોટલીનો ભોગ લગાવો ત્યાર બાદ તેને કોઇ ભિખારીને ખાવા માટે આપો.
- કન્યા રાશિના જાતક હનુમાનજીની કૃપા મેળવવા માટે હનુમાન મંદિર જઇને શુદ્ધ ઘીના 6 દીવા કરો, તથા શ્રીરામચરિતમાનસના લંકા કાંડના પાઠ કરો.
- તુલા રાશિના જાતક શ્રીરામચરિત માનસના બાલ કાંડનો પાઠ કરવા માટે હનુમાનજીને ખીરનો ભોગ લગાવો તથા બાળકોને ખીર ખવડાવો.
- વૃશ્ચિક રાશિના જાતક હનુમાન અષ્ટકનો પાઠ કર્યા બાદ ચોખા, ગોળનો ભોગ લગાવીને તે ગાયને ખવડાવી દો.
- ધન રાશિના જાતક શ્રીરામચરિત માનસમાં અયોધ્યા કાંડનો પાઠ કર્યા બાદ હનુમાનજીને મધનો ભોગ લગાવીને પોતે જ તેને પ્રસાદ ગણીને ગ્રહણ કરો.
- મકર રાશિના જાતક શ્રીરામચરિત માનસના કિષ્કિન્ધા કાંડના પાઠ કર્યા બાદ હનુમાનજીને મસૂરનો ભોગ લગાવીને તેને માછલીઓને ખવડાવી દો. આમ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
- કુંભ રાશિના જાતક શ્રીરામચરિત માનસના ઉત્તરકાંડનો પાઠ કર્યા બાદ હનુમાનજીને ગળી રોટલીનો ભોગ લગાવીને તેને ભેંસને ખવડાવો.
- મીન રાશિના જાતક હનુમંત બાહુકનો પાઠ કરતા પહેલા હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધજા પોતાના હાથે ચઢાવો.
આ પણ વાંચો…
અમેરિકામાં હવાઇ સ્થિત કિલુઆ જ્વાળામુખી ફાટ્યા બાદ ઝેરી ગેસ લીક અને 4.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ