Manish doshi

Gujarat Govt: રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર: ડૉ. મનિષ દોશી

Gujarat Govt: ભાજપ સરકારની ભ્રષ્ટ નિતિ રીતિના કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

અમદાવાદ , ૩૧ જુલાઈ: Gujarat Govt: રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના ધો. ૧ થી ૮ અને ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના પ્રહાર

આ પણ વાંચો…Pm to interact with IPS: તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટનો વિચાર હોવો જોઈએ, જુઓ વીડિયો

  • ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ – પાઠ્ય પુસ્તકો સરકારી – ગ્રાન્ટેડ વિનામૂલ્યે આપવાની યોજના.
  • પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જે કાગળ મંગાવવામાં આવે છે તેમાં મોટી ગેરરીતિ.
  • પાઠ્ય પુસ્તક મંડળનો માત્ર કાગળ ખરીદી, પ્રિન્ટીંગના ઓર્ડર ટ્રાન્સપોર્ટ કોટ્રાક્ટર માં જ વધુ પડતો રસ દાખવી રહ્યા છે.
  • છેલ્લા દશ વર્ષમાં પાઠ્યપુસ્તકો બારોબાર સગેવગે કરવાના, પસ્તીમાં વેચી દેવાના, અને ચાર થી છ મહિના સુધી પુસ્તકો બાળકો સુધી પહોંચાડવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ.
  • ભાજપ સરકારની ભ્રષ્ટ નિતિ રીતિના કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
  • પાઠ્યપુસ્તકો સમયસર ન મળવાના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર અસર.
  • શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનુ ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ, ભાજપા સરકારની (Gujarat Govt) નિતિ શું આ રીતે ભણશે ગુજરાત ? શુ આ રીતે આગળ વધશે ગુજરાત ?

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.