હેલ્થ ટિપ્સઃ રસોઇમાં યુઝ નથી કરતા શિમલા મિર્ચ, તો ઉપયોગ શરુ કરી દો- જાણો અનેક ફાયદા
હેલ્થ ટિપ્સ, 06 જાન્યુઆરીઃ મોટાભાગની મહિલાઓ હવે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે. જેમાં તેઓ ભોલર મરચા એટલે કે શિમલા મિર્ચનો ઉપયોગ કરે છે. જો તમે ઉપયોગ નથી કરતા તો હવે ઉપયોગ શરુ કરી લો. તમારા પરિવારને સ્વસ્થ્ય બનાવવા માટે લાભદાયી છે. આવો જાણીએ શિમલા મિર્ચના સેવનથી થતા લાભ…
- શિમાલા મિર્ચ ખાવાથી તમારું ફેટ બર્ન કરવા અને વજન ઓછું કરવામાં મદદ મળશે. તેની સાથે તમારા પાચનમાં પણ સુધારો થશે.
- શિમાલા મિર્ચ કેન્સરના જોખમને ઓછુ કરે છે કારણ કે તેમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી પોષક તત્ત્વ અને એન્ટીઑક્સીડેન્ટ હોય છે. તેના સેવનથી શરીરમાં કેન્સર સેલ્સ વિકસીત થઇ શકતા નથી. વિશેષજ્ઞો અનુસાર દરરોજ શિમલા મિર્ચનું સેવન કરવાથી કેન્સર જેવી જોખમકારી બીમારીનું જોખમ ટળી જાય છે.
- શિમલા મિર્ચ વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે. આ વાળને ખરતાં અટકાવે છે અને તમારા વાળને ભરાવદાર બનાવવામાં મદદ કરે છે.
- શિમલા મિર્ચ શરીરની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરે છે. ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરવાની સાથે-સાથે શિમલા મિર્ચ મગજને તેજ બનાવવામાં પણ મહત્ત્વનું યોગદાન આપે છે.
- લાલ શિમલા મિર્ચમાં રહેલ લાઇકોપીન એક ફાઇટોન્યૂટ્રિયેન્ટ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વનસ્પતુ ફોલેટ અને વિટામિન બી 6નો એકસ્ત્રોત છે. જે હોમોસિસ્ટીનના પ્રમાણને ઓછું કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
- શિમલા મિર્ચનું સેવન ત્વચાને સાફ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. આ ચહેરા પર થતા ખીલને અટકાવે છે. મરચામાં વિટામિન A હોય છે, જે આંખો માટે સારા હોય છે અને આંખોની બીમારીઓને અટકાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો…
મહત્વના કાર્યમાટે ઘરમાંથી બહાર નીકળો છો તો કરો આ કામ, જરુર મળશે સફળતા