Jagdish thakor

Jagdish thakor targets BJP: જગદીશ ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું- ભાજપનું સંકલ્પ પત્ર માત્ર…

  • ભાજપ મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ પર ચર્ચા કરતી નથી: જગદીશ

Jagdish thakor targets BJP: ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર છે: જગદીશ ઠાકોર

ગાંધીનગર, 26 નવેમ્બર: Jagdish thakor targets BJP: વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગાંધીનગરના પેથાપુરમાં કોંગ્રેસની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલ ઉપસ્થિતીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જગદીશ ઠાકોર જનસભામાં ભાજપનું સંકલ્પ પત્રને લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ જેવા મુદ્દાઓને લઈ ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસ ગુજરાતમાં 125 બેઠક મેળવીને જંગી જીત મેળવશે તેવો દાવો પણ કર્યા હતો.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપનું સંકલ્પ પત્ર માત્ર શબ્દોનું શણગાર છે તેમણે કહ્યું કે, ભાજપ મોંઘવારી, મોરબી દૂર્ઘટના અને લઠ્ઠાકાંડ પર ચર્ચા કરતી નથી તેમણે જણાવ્યું કે, ભાજપમા જનારા કોંગ્રેસ વરરાજા છે જ્યારે ભાજપની કાર્યકરો માત્ર જાનૈયા છે. તેમણે દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં 125 બેઠક મેળવીને જીતશે.

આ પણ વાંચો: Evening nasta tips: ઘરે જ બનાવો હરાભરા કબાબ, સાંજના સમયે એક પરફેક્ટ નાસ્તો; નોંધી લો રેસિપી

Gujarati banner 01