Leader of the Opposition Sukhram Rathwa: વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા આજે માતાજી નાં દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૭ જાન્યુઆરીઃ Leader of the Opposition Sukhram Rathwa: ગુજરાત કોગ્રેંસ સમિતી નાં નવનિયુક્ત વિધાનસભાનાં વિરોધપક્ષનાં નેતા સુખરામ રાઠવા આજે માતાજી નાં પ્રાગટ્યોત્સવ નિમિત્તે માં અંબા નાં દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા. જ્યાં સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસ નાં અગ્રણી કાર્યકર્તાઓ સહીત ધારાસભ્ય કાંતી ખરાડી તેંમજ બનાસકાંઠા જીલ્લા પંચાયત ના પ્રમુખ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતુ. અને સર્કીટહાઉસ થી વિશાળ કોંગ્રેસનાં કાર્યકર્તાઓનાં કાફલા સાથે માતાજી નાં જય ઘોસ સાથે પગપાળાં માતાજીનાં દર્શનાર્થે નિકળ્યાં હતા.
જોકે કોરોના મહામારી નાં પગલેં અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી વિરોધ પક્ષ નાં નેતા સુખરામ રાઠવા એ શક્તિદ્વાર આગળ અન્ય યાત્રીકોની જેમ માતાજી ને નમન કરી દર્શન કર્યા હતા. સાથે તેમને જણાવ્યુ હતુ કે 2022 ની વિધાનસભા ની ચુંટણી માં સરકાર ને બદલવા શક્તિ માંગી છે અને તે શક્તિ થી ગુજરાત માં કુસાશન ને બદલે સુસાશન લાવવા નાં પ્રયત્નો કરવાં પ્રાર્થના કરી હતી. સાથે વધુ માં ઉમેર્યુ હતુ કે ગુજરાત નાં તમામ શક્તિ ધામો નાં આશીર્વાદ કોંગ્રેસ ની સાથે જ છે.