PM Modi Took The National Unity Pledge

PM Modi Took The National Unity Pledge: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લેવડાવી

PM Modi Took The National Unity Pledge: હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એકતાનગર, 31 ઓક્ટોબરઃ PM Modi Took The National Unity Pledge: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

આ પ્રતિજ્ઞા અક્ષરસઃ આ મુજબ છે

હું સત્યનિષ્ઠાથી પ્રતિજ્ઞા લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને કાયમ રાખવા સ્વયંને સમર્પિત કરી દઈશ અને દરેક દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ સંપૂર્ણ પ્રયત્ન કરીશ.

હું આ પ્રતિજ્ઞા દેશની એકતાની ભાવનાથી લઉ છું જેને સરદાર વલ્લભભાઇ પટેલની દુરંદેશીતા તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે.

હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારુ યોગદાન આપવાનો સત્યનિષ્ઠાથી સંકલ્પ લઉં છું.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એકતાનગર ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ઉત્સાહભેર આ પ્રતિજ્ઞા લીધી હતી.

આ પણ વાંચો… National Unity Day: રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એકતા ખૂબ જ જરૂરી: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો