Shaktisinh gohil targets BJP: ભાજપા દ્વારા હલકી કક્ષાની રાજનીતિ થઇ રહી: શક્તિસિંહ ગોહિલ
Shaktisinh gohil targets BJP: કોંગ્રેસ માત્ર સત્તા લઇ લેવા નથી માંગતી પણ સત્તા મેળવી સેવાની સાથે સાધના કરવા માંગે છે: શક્તિસિંહ ગોહિલ
રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 29 નવેમ્બર: Shaktisinh gohil targets BJP: ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર પસારના પડઘમ હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણીને લઈ પ્રચાર વેગવાન બન્યો છે, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સ્ટાર પ્રચાર તરીકે છત્તીસગઢ ના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ હવાઈ માર્ગે દાંતાના હડાદ ગામે એક જાહેરસભાના સંબોધન માટે પહોંચ્યા હતા. જ્યાં હજારો ની સંખ્યા માં ઉપસ્થિત રહેલા આદિવાસી લોકો એ ઉષ્માભેર ભૂપેશ બધેલ નુ સ્વાગત કર્યું હતું સાથે રાજસભાના સંસદ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘલેનું કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ સાફો પહેરાવી માતાજીની પ્રતિમા અર્પણ કરી હત જ્યાં અન્ય ઉપસ્થિત પક્ષ ના પદાધિકારીઓ દ્વારા ફૂલોનો વિશાળ હાર પહેનાવી સામુહિક સ્વાગત કરાયું હતું જયારે શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું હતું ગુજરાતમાં કોંગ્રેસ તરફી વાતાવરણ બન્યું છે ત્યારે કોંગ્રેસ માત્ર સત્તા લઇ લેવા નથી માંગતી પણ સત્તા મેળવી સેવાની સાથે સાધના કરવા માંગે છે.
એટલુંજ નહીં દાંતા મત વિસ્તારમાં હાલ તબક્કે ભાજપા ના વાયરલ થઇ રહેલા કેટલાક વિડિઓ ને લઈ ભાજપા પર પ્રહારો કરતા શક્તિસિહ ગોહીલ એ જણાવ્યું હતું કે ભાજપા દ્વારા હલકી કક્ષા ની રાજનીતિ થઇ રહી છે જ્યાં સાડીઓ ને રૂપિયા અપાઈ રહ્યા છે ને શુદ્ધ રાજકરણ ની જગ્યા એ હલકી કક્ષા નું રાજકારણ થતુ હોય તેમ ઉમેદવારો જણાવી રહ્યા છે કે હું જીતીશ તો ટોપલા માં દારૂ વેંચવીશ આમ ભાજપ નું ચાલ ચલણ અને ચરિત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.
જયારે છત્તીસગઢનાં મુખ્ય મંત્રી ભુપેશ વઘેલ જાહેરસભામાં ઉપસ્થીત જન મેદની જોઇ પ્રભાવીત બન્યાં હતા ને જણાવ્યુ હતુ કે લોકો હવે પરીવર્તન ઇચ્છી રહ્યા છે. ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે હાલ હયાત સરકારે બેરોજગારી, મોંઘવાની આદીવાસી ને લગતાં પેશા નો કાયદો તેમજ ફોરેસ્ટ એક્ટ લાગુ કરી શકી નથી. પણ જો અમારી સરકાર આવશે તો આ તમામ પ્રશ્નો નાં નિકાલ સાથે ખેડુતો નાં કર્જા માફ સાથે ની યોજનાઓ લાગુ કરશે.