Sindhubhavan Road Accident : સિંધુ ભવન નજીક નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત, મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર…- વાંચો વિગત
Sindhubhavan Road Accident : કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ
અમદાવાદ, 09 માર્ચઃ Sindhubhavan Road Accident : અમદાવાદનો સિંધુ ભવન રોડ બેફામ બનેલા નબીરાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીની રાત્રે વધુ એક નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. વહેલી સવારે 3 વાગ્યે 26 મીનિટે સિંધુ ભવન રોડ પર રિશિત પટેલ નામના નબીરાએ મર્સિડીઝ કારથી અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવી અન્ય બે કારને ટક્કર મારી. જેમાં વર્ના કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો…
મીડિયા સાથેની વાતચીત કરતા ભોગબનનાર મિતુલ પટેલ કહ્યું કે નબીરા નશાની હાલતમાં હતા અને પૂરપાટ ઝડપે કાર ચલાવતા હતા. એટલું જ નહીં પણ અકસ્માત બાદ નબીરાના પરિવારજનોએ તેમની સાથે મારામારી પણ કરી. તો બીજી તરફ બેફામ બનેલો નબીરો રિશિત પટેલ કહે છે હું કોઈ રેસ નહોંતો લગાવતો. મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. અને કાર 80ની સ્પીડે હતી. સાથે જ તેણે કહ્યું કે, હું નશાની હાલત માં નહોતો, મારા બ્લડ સેમ્પલ લઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો