Surat Gaurav Sena Bhavan: ગૌરવ સેનાની ભવન ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ શરૂ

Surat Gaurav Sena Bhavan: ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે

સુરત, 30 જૂનઃ Surat Gaurav Sena Bhavan: શહીદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઈચ્છુક શહીદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોએ તા.૯મી જુલાઈ સુધીમાં કચેરીનો રૂબરૂ સંપર્ક કરી નમુના મુજબનું એડમીશન ફોર્મ મેળવી લેવા જણાવવામાં આવે છે.

વધુ વિગત માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો… Municipal Review Meeting: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યની મહાનગરપાલિકાઓની સમીક્ષા બેઠક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો