adhiraj sinh jadeja

Yuvraj Singh Jadeja statement: ગુજરાતના યુવાનોને એકજૂટ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે: યુવરાજસિંહ જાડેજા

  • આમ આદમી પાર્ટી પર ગુજરાતની સામાન્ય જનતાનો ભરોસો વધી રહ્યો છે: યુવરાજસિંહ જાડેજા
  • ભાજપ અને કોંગ્રેસે ગ્રાઉન્ડ ઉપર કોઈપણ પ્રકારના કાર્યો નથી કર્યા: યુવરાજસિંહ જાડેજા

Yuvraj Singh Jadeja statement: આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે 7 મજબૂત ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદ, ૦૮ નવેમ્બર: Yuvraj Singh Jadeja statement: આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ સંગઠનના અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, યુવરાજસિંહ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી સતત વ્યસ્ત રહ્યા છે. યુવાનોના પ્રશ્નો મામલે સતત જાગૃત રહ્યા છે. યુવાનો સાથે સતત મસલત કરતા રહ્યા છે, સંપર્ક કરતા રહ્યા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એટલે ચૂંટણીમાં તેમને ટિકિટ આપીને યુવા પ્રતિનિધિ તરીકે વિધાનસભાની જવાબદારી સોંપવાનો પહેલા વિચાર આવ્યો હતો અને દહેગામની બેઠક પરથી તેમને ચૂંટણી લડાવવા માટેનો નિર્ણય કર્યો હતો, પરંતુ અત્યારે જે ચૂંટણીનો માહોલ છે અને અત્યારે જે જબરદસ્ત બોજ આવ્યો છે પાર્ટી ઉપર.

દરેક વિધાનસભામાં પ્રચાર પ્રસાર માટે કેન્ડિડેટ સાથે મળીને વ્યુહ રચનાને જોતા પાર્ટીએ અત્યારે તેમને આદેશ કર્યો છે કે તમે ચૂંટણી લડવાને બદલે લડાવવામાં વધારે તમારી શક્તિનો ઉપયોગ કરો. એટલે કે એક જગ્યાથી લડીને તમે એક પ્રતિનિધિ આપો એના કરતાં અલગ અલગ જગ્યાથી તમે બીજા ઉમેદવારોને જીતાડી શકતા હો તો એ પાર્ટીના લાભ માટે છે. ગુજરાતના લાભ માટે છે, યુવાનોના લાભ માટે છે અને એવું વિચારીને યુવરાજસિંહને વિનંતી કરવામાં આવી છે કે તમે સાત વિધાનસભાની જે બેઠકો છે જે ઉમેદવારો છે એને કેવી રીતે રચીને જીતાડવા એની જવાબદારી સ્વીકારો અને યુવરાજસિંહે આ જબાવદારી સ્વીકારી છે.

આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી હંમેશા પરિવર્તન લાવવા માટે, ગુજરાતમાં જે કુશાસન ચાલી રહ્યું છે અને ખાસ કરીને યુવાનો એનો ભોગ બન્યા છે એ યુવાનોને સાચી દિશા આપવા પ્રયત્નશીલ રહી છે. આમ આદમી પાર્ટીનું એક સ્લોગન રહ્યું છે કે “અમે રાજનીતિ કરવા નહીં રાજનીતિ બદલવા આવ્યા છીએ.”

એના જ ભાગરૂપે મને પહેલા જે વિધાનસભાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો, એની જગ્યાએ ગુજરાતના યુવાનોને એકજૂટ કરી શકાય એના માટે સ્ટાર પ્રચારક તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. હું જવાબદારીનો સ્વીકાર કરું છું. આમ આદમી પાર્ટીનો નિર્ણય મારા માટે હંમેશા સર્વોપરી રહેશે. ગુજરાતના યુવાનોના પ્રશ્નોને મેં વાચા આપી છે.

યુવાનોના જે સરકારી પરીક્ષાઓના પ્રશ્નો છે તથા શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે સરકાર સામે નિશાન સાધતો રહીશ. વર્તમાન સમયમાં મને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે, એ જવાબદારીનો હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.એક ક્ષેત્રમાં સીમિત થઈ જવું એના કરતાં સમગ્ર ગુજરાતના વિકાસ માટે કામ કરવા અને સમગ્ર ગુજરાતના યુવાનો માટે કામ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. આમ આદમી પાર્ટી પર ગુજરાતની સામાન્ય જનતાનો ભરોસો વધી રહ્યો છે. એટલા માટે જન પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં જાય એવા લોકોનું હાલ ચયન ચાલી રહ્યું છે. આજે અમે આમ આદમી પાર્ટીના સાત ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છીએ.

  • અંજાર વિધાનસભાથી અર્જનભાઈ રબારીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
  • ચાણસ્મા વિધાનસભાથી સામાજિક કાર્યકર અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિષ્ણુભાઈ પટેલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
  • દહેગામ વિધાનસભાથી સુહાગભાઈ પંચાલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જે પોતે સરપંચ છે, સામાજિક કાર્યકર છે અને સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
  • લીમડી વિધાનસભાથી મયુરભાઈ સાકરીયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
  • ફતેપુરા વિધાનસભાથી ગોવિંદભાઈ પરમારને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
  • સયાજીગંજ વિધાનસભાથી સ્વેજલ વ્યાસને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.
  • ઝઘડિયા વિધાનસભાથી ઉર્મિલા ભગતને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે.

આ તમામ ઉમેદવારોને હું શુભેચ્છાઓ પાઠવું છું. મને 10 વિધાનસભામાં સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી આપવામાં આવી છે, હું તે જવાબદારી સ્વીકારું છું. ગુજરાતના તમામ યુવાનોના જે પ્રશ્નો છે, વંચિતોના જે પ્રશ્નો છે, તે દરેક પ્રશ્નોને હંમેશા સરકાર સામે ઉપાડતો રહીશ. હંમેશાથી મારું કામ સિસ્ટમ બદલવા માટેનું અને જાગૃકતા ફેલાવાનું રહ્યું છે, આગળ પણ હું એ જ કામ કરવા જઈ રહ્યો છું.

દહેગામ વિધાનસભા માટે જે નામ જાહેર કરવામાં આવ્યું છે, તે પણ પ્રભાવશાળી નામ છે, કદાવર નામ છે. દહેગામ વિધાનસભાના ઉમેદવાર સુહાગભાઈ પંચાલ પોતે સરપંચ પણ રહી ચૂક્યા છે અને સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તથા ભૂતકાળમાં તેઓ ચૂંટણી લડી પણ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી હંમેશા લોકહિત માટે કામ કરનારા ઉમેદવારોને જ પસંદ કરે છે. મારી જે જવાબદારી છે તે સીમિત જવાબદારી નથી. આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક બનાવવાનો જે નિર્ણય મારી માટે લેવામાં આવ્યો છે, તેને હું આવકારું છું.

ગુજરાતમાં ભાજપનું જે કુશાસન ચાલી રહ્યું છે તેનાથી જનતા ખૂબ જ પીડિત છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી એટલી ડરી ગઈ છે કે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહી નથી. આમ આદમી પાર્ટીએ તો ઘણા મહિનાઓ પહેલાથી જ નામ જાહેર કરવાનું શરૂ કરી દીધું હતુંઅને હમણાં બે દિવસમાં પોતાની યાદી પૂરી પણ કરી દેશે. મતલબ અત્યારે કોઈને ડર લાગી રહ્યો છે તો તે ભાજપ અને કોંગ્રેસને લાગી રહ્યો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસે ગ્રાઉન્ડ ઉપર કોઈપણ પ્રકારના કાર્યો નથી કર્યા. તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કયા મોઢે મત માંગવા જવું.

આ પણ વાંચો: Ambaji police seized ganja: અંબાજી પોલીસને મળી મોટી સફળતા, છાપરી ચેકપોસ્ટ પરથી પકડ્યો ગાંજાનો જથ્થો…

Gujarati banner 01