Jasprit Bumrah: આયર્લેન્ડ વિરુદ્ધ T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન…
Jasprit Bumrah: T-20 સિરીઝ માટે જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન બનાવાયા છે
સ્પોર્ટ્સ ડેસ્ક, 31 જુલાઈઃ Jasprit Bumrah: આયર્લેન્ડ વિરૂદ્ધ આગામી મહિને રમાનારી ત્રણ મેચોની T-20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ચૂક્યું છે. ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. એટલું જ નહીં જસપ્રીત બુમરાહને ટીમના કેપ્ટન બનાવાયા છે. સાથે જ ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે.
IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા રિંકૂ સિંહને અંતે ટીમમાં મોકો મળી ગયો છે. જિતેશ શર્માને પણ ટીમમાં જગ્યા મળી છે. બુમરાહ સિવાય ઈજાગ્રસ્ત રહેલા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ ટીમમાં વાપસી થઈ છે. લાંબા સમય બાદ શિવમ દુબેને પણ ટીમ ઈન્ડિયામાં જગ્યા અપાઈ છે.
ભારતીય ટીમમાં કોને કોને મળી જગ્યા?
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, રિંકૂ સિંહ, સંજૂ સેમસન, જિતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.
આ પણ વાંચો… Train Trips Extended: ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ લંબાવવામાં આવી