ધોરણ 10-12 બાદ હવે સરકારે ITI શરૂ કરવાનો લીધો નિર્ણય
ગાંધીનગર, 14 જાન્યુઆરીઃ કોરોનાકાળ દરમિયાન અન્ય સંસ્થાઓની જેમ સરકારે ઔધ્યોગિક તાલીમ સંસ્થા(આઇટીઆઇ) પણ બંધ કરી હતી. હવે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે રાજ્ય સરકારે આઈટીઆઈ શિક્ષણ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાના કેસીલ પીક પર હતા. તે સમયે લોકડાઉન દરમિયાન તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાનો તેમજ આઈટીઆઈ બંધ કરવામાં આવી હતી. જોકે હવે કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે આઈટીઆઈ ફરી શરૂ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો….