Isro Chief S Somnath

Isro Chief S Somnath: ઇસરો ચીફ એસ. સોમનાથનને કેન્સર, કહ્યું- આદિત્ય એલ-1 મિશન લૉન્ચ વખતે મળી હતી જાણકારી

Isro Chief S Somnath: ઐતિહાસિક ચંદ્રયાન-૩ના મિશન દરમિયાન જ ઇસરો ચીફ એસ. સોમનાથનનું સ્વાસ્થ્ય કથળ્યું હતું

નવી દિલ્હી, 05 માર્ચ : Isro Chief S Somnath: ઈસરોનાં ચીફ એસ. સોમનાથને કેન્સર થયું છે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જ પોતાને થયેલા આ ગંભીર રોગ વિષે જણાવ્યું હતું. તેઓને વધુમાં કહ્યું કે આદિત્ય એલ-૧ મિશન લૉન્ચ કરાયું તે દિવસે જ તેઓને કેન્સર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ મિશન લૉન્ચ થયા પછી તેઓ તબીયત દેખાડવા તબીબ પાસે ગયા ત્યારે આ ઘટસ્ફોટ થતાં તબીબ પણ ગંભીર બની ગયા હતા. તેમનાં કુટુમ્બીજનોને જાણ થતાં તે સર્વે શોકમગ્ન બન્યાં. પછીથી સમાચાર ફેલાતાં વિજ્ઞાન જગતમાં પણ ગ્લાની છવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Flame of the Forest: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.10 માર્ચથી શરૂ થશે કેશુડા ટ્રેઇલ

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ઐતિહાસિક ચંદ્રયાન-૩ના મિશન દરમિયાન જ તેઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. જો કે હવે તેઓ પૂર્ણત: સ્વસ્થ છે.

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ૨૩મી ઓગસ્ટે ચંદ્રયાન-૩ ચંદ્રનાં દક્ષિણ ધુ્રવ ઉપર ઉતારી ઇસરોએ ઇતિહાસ રચી દીધો છે. ગત વર્ષની ૨ સપ્ટેમ્બરે આદિત્ય એલ-૧ મિશન લૉન્ચ થયું હતું. ત્યારે સોમનાથને પેટમાં કશી તકલીફ જણાઈ હતી. પછી તેઓ બેંગલુરૂથી ચેન્નાઈ જવા રવાના થયા. જ્યાં થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઇ ગયું કે તેઓને ગંભીર બીમારી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો