7 essential tasks this month: આધાર-પાન લિંક અને બેંક અકાઉન્ટ KYC સહિત આ મહિને પતાવી લો આ 7 જરૂરી કામ, નહીં તો થશે નુકસાન
7 essential tasks this month: બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે.
નવી દિલ્હી, 01 માર્ચઃ 7 essential tasks this month: માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2021-22નો છેલ્લો મહિનો છે. આવી સ્થિતિમાં તમારે ઘણાં જરૂરી કામ પતાવવાનાં હોય છે. જો તમે આ કામ નહીં પતાવો તો તમારે નુકસાન વેઠવું પડી શકે છે. આ કામોમાં બેંકિંગ અને ઈન્વેસ્ટમેન્ટ સાથે સંબંધિત ઘણાં કામ સામેલ છે.
જો તમે હજી સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આ મહિને કરાવી લો, નહીં તો તમારું પાન ઈનએક્ટિવ થઈ જશે. જાણો આવાં જ 7 કામો વિશે, જે આ મહિને તમારે પતાવવાનાં છે.
1. આધાર-પાન લિંક કરાવી લો
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી તમે પાનને આધાર સાથે લિંક નથી કરાવતા તો એ ડિએક્ટિવેટ થઈ જશે. જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પાન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરે TDS કટ કરશે.
2. બિલેટેડ અને રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરો
2019-20 માટે બિલેટેડ અથવા સંશોધિત ઈન્કમટેક્સ રિટર્ન (ITR) દાખલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. કોઈ નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા પછી બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. એના માટે કરદાતાએ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.
રિવાઈઝ્ડ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતા સમયે કોઈ ભૂલ થઈ જાય છે. બિલેટેડ ITR આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139(5) હેઠળ ફાઈલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલાં ફાઈલ કરવાનું રહે છે.
3. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ
જો તમે ઈન્કમટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધી રોકાણ કરવું પડશે. ઈન્કમટેક્સ એક્ટની ઘણી સેક્શન જેમ કે 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો મળે છે. ઈન્કમટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ લઈ શકાય છે.
4. સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સમાંથી પ્રોફિટ બુક કરો
સ્ટોક્સ અને ઈક્વિટી ઓરિયેન્ટેડ ફંડ્સ પર 1 લાખ રૂપિયાથી વધુ લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર હવે ટેક્સ લાગે છે. જો તમે લોન્ગ ટર્મ કેપિટલગેઈન કર્યો હોય તો રૂ. 1 લાખ સુધીના લોન્ગ ટર્મ કેપિટલગેઈન પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે. 31 માર્ચ પહેલાં પ્રોફિટ બુક કરો, જેથી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય.
એના માટે તમારે 31 માર્ચ પહેલાં એટલા સ્ટોક્સ અને ઈક્વિટી ફંડ્સ વેચી દેવા જોઈએ, જેટલા પર 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી જાય. પછી એ જ પૈસાને આગામી નાણાકીય વર્ષમાં ફરીથી ઈન્વેસ્ટ કરો.
જોકે વેચવા અને ખરીદવાની પ્રક્રિયામાં તમારે બ્રોકરેજ હાઉસને 1% રકમ આપવી પડશે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટર્સને આ રકમ નહીં આપવી પડે, કેમ કે એન્ટ્રી લોડ્સ વસૂલવામાં આવતો નથી અને ફંડ્સને એક વર્ષ પછી વેચવા પર એન્ટ્રી લોડ લાગુ નથી થતો.
5. PPF, NPS અને સુકન્યા અકાઉન્ટ્સમાં જમા કરો મિનિમમ અમાઉન્ટ
જો તમારું પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) અકાઉન્ટ છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં એમાં પૈસા નથી નાખ્યા તો અકાઉન્ટ એક્ટિવ રાખવા માટે તેમાં અમુક રકમ જરૂરથી જમા કરો. PPF અને NPSમાં પૈસા ન નાખવા પર આ અકાઉન્ટ્સ ઈનએક્ટિવ થઈ જશે. જો જરૂરી ન્યૂનતમ રકમ જમા નહીં કરો તો એને ફરીથી એક્ટિવ કરાવવા માટે તમારે દંડ ભરવો પડશે.
6. ફોર્મ 12B જમા કરો
જો તમે 1 એપ્રિલ 2021 પછી નોકરી બદલી હોય તો પહેલાંની નોકરીમાં કટ કરવામાં આવેલા TDSની જાણકારી ફોર્મ 12B દ્વારા નવી કંપનીને આપો. 31 માર્ચ સુધી ફોર્મ 12B નહીં જમા કરો તો કંપની વધારે TDS કટ કરી શકે છે, જેનું નુકસાન તમને જ થશે.
7. બેંક અકાઉન્ટનું KYC
31 માર્ચ 2022 સુધી ડિમેટ અને બેંક અકાઉન્ટધારકોને KYC અપડેટ કરવાનું રહેશે. KYC અંતર્ગત ગ્રાહકોને તેમના પાનકાર્ડ, સરનામું, જેમ કે આધાર, પાસપોર્ટ વગેરે અપડેટ કરવા માટે બેંક કહે છે. તેની સાથે જ તાજેતરનો ફોટોગ્રાફ અને અન્ય જાણકારી પણ માગવામાં આવે છે. નિયમના અનુસાર, જો તમે તમારું KYC અપડેટ નહીં હોય તો તમારું બેંક અકાઉન્ટ બંધ થઈ શકે છે.
જો તમારું ડિમેટ અકાઉન્ટનું KYC નથી તો એ ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. એનાથી તમે સ્ટોક માર્કેટમાં ટ્રેડ નહીં કરી શકો. જો કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદી પણ લે છે તો આ શેર અકાઉન્ટ સુધી ટ્રાન્સફર નહીં થઈ શકે. KYC પ્રોસેસ પૂર્ણ થયા પછી અને વેરિફાઈ થયા પછી એ થઈ શકશે.