ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે, શનિવારે સામાન્ય વહીવટ વિભાગે કરેલા આદેશ અનુસાર એચ કે કોયાણીની સાબરકાંઠાના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે,તેઓ હાલમાં સુરતના ડીડીઓ તરીકે ફરજ બજાવતાં હતા. જયારે એ એમ શર્માની ડાંગના કલેકટ(IAS)ર તરીકે બદલી કરવામાં આવી છે, ખેડામાં ડીડીઓ તરીકે ફરજ બજાવતાં ડી એસ ગઢવીની સુરતના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.

આ ઉપરાંત ડીડી કાપડીયાની તાપી-વ્યારાના ડીડીઓ તરીકે બદલી કરાઈ છે, તેઓ ગ્રામીણ વિકાસ વિભાગના એડીશનલ ગ્રામીણ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતાં હતા.

IAS

આ પણ વાંચો….

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

IAS