વડાપ્રધાન મોદી(PM Modi) પહોંચ્યા ભાવનગર, સીએમ રુપાણીએ ટ્વિટ કરી આપી જાણકારી- જુઓ ફોટો
ભાવનગર, 19 મેઃ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી(PM Modi) ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ભાવનગર ના મેયર કિર્તિબાળા બહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તેમને આવકાર્યા હતા.
નોંધનીય છે કે સીએમ રુપાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો પોસ્ટ કરીને વડાપ્રધાન(PM Modi) ભાવનગર પહોંચ્યા હોવાની માહિતી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi) સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.
આ પણ વાંચો….