સુરત શહેરમાં 144 લાગુઃ ૩૦ડિસેમ્બર થી 13 જાન્યુઆરી સુધી જાહેરનામું અમલ રહેશે
સુરત, 29 ડિસેમ્બરઃ સુરત શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ તેમજ આગામી દિવસોમાં આવતાં તહેવારો, શહેરમાં યોજાતા ધરણા/રેલીઓને ધ્યાને લઈ જાહેર શાતિ અને સલામતી જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તે માટે શહેર પોલીસ કમિશનરશ્રી અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનર વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવી કે સરઘસ કાઢવા ઉપર તા.૩૦/૧૨/૨૦૨૦ થી તા.૧૩/૦૧/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સરકારી, અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
આ પણ વાંચો…
કર્ણાટક વિધાન પરિષદના ડેપ્યટી સ્પીકરે કરી આત્મહત્યા! રેલ્વે ટ્રેક પરથી મળી આવ્યો મૃત દેહ
Type a message