EARTHQUAKE

છેલ્લા 24 કલાકમાં ગીર-સોમનાથમાં 13 ભૂંકપના આંચકા આવતા, લોકોમાં ભયનો માહોલ

EARTHQUAKE
ગીર-સોમનાથમાં ભૂંકપ

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. આ આંચકા ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં અનુભવાયા છે.

ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર 24 કલાકમાં કુલ 13 આંચકા નોંધાયા છે.

વિગતે વાત કરીએ તો, તલાલામાં રવિવારે મોડી રાત્રે 1:12 વાગ્યે 3.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ બન્યું છે. રવિવારે સવારે 4:00 વાગ્યે 1.3 ની તીવ્રતાનો આંચકો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ જોવા મળ્યું. ત્યાર બાદ સવારે 5:52 કલાકે 2.0 ની તીવ્રતાનો આંચકો જેનું કેન્દ્રબિંદુ પણ તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ 11 કિમી દૂર નોંધાયું.

whatsapp banner 1

સોમવારની વાત કરીએ તો, સવારે 11.14 મિનિટે તલાલામાં 3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તાલાલાથી 20 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં કેન્દ્ર બિંદુ હતું. તલાલામાં સોમવારે સાંજ 5.21 મિનિટે 2.3ની તીવ્રતાનો આંચકો. જેનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં અને સાંજે 6.44 મિનિટે તલાલા અને ગીરમાં 2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો.

સોમવારે મોડી રાત્રે 11.55 કલાકે ફરી બે ભૂકંપના આંચકા અનુભવાયા અને તલાલા પંથકની ધરતી હચમચી ઉઠી હતી. ત્યાર બાદ રાત્રે 12 વાગ્યા પછી વધુ 2 આંચકા અનુભવાયા હતા. મંગળવારે સવારે 2.41 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.