શિયાળાની સિઝનમાં નાસ્તામાં આ વસ્તુનું સેવન કરો અને સ્વસ્થ્ય રહો, જાણો તેના ફાયદા
હેલ્થ ડેસ્ક,17 ડિસેમ્બરઃ કહેવાય છે ને કે શિયાળાની સિઝન એટલે વર્ષ દરમિયાન સ્વસ્થ્ય રહેવા માટેનો હેલ્થી ખોરાક ખાઇ લેવો જોઇએ. શિયાળામાં ખાધેલું આખું વર્ષ ચાલે છે અત્અયારે શિયાળાની સિઝન ચાલી રહી છે, અને આ સિઝનમાં તળેલી વસ્તુઓનું સેવન પણ વધે છે, જેના કારણે પેટમાં ઘણી સમસ્યાઓ થાય છે. શિયાળામાં ભૂખ્યા પેટે આ વસ્તુ ખવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
આ વસ્તુનું સેવન કરોઃ
- ઠંડા વાતાવરણમાં તમારા દિવસની શરૂઆત નવશેકા પાણી અને મધ સાથે કરો.મધમાં ખનીજ, વિટામિન, ફ્લેવોનોઈડ અને ઉત્સેચકો ભરપૂર માત્રામાં હોય છે.આ વસ્તુઓ આંતરડાને સાફ રાખે છે.આ સિવાય વજન ઘટાડવામાં પણ આ ખૂબ અસરકારક છે.
- જો તમે ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરલું કઈ ખાવા માગતા હોય તો ઓટમીલ ખાવું જોઈએ.ઓટમીલ આંતરડાને સ્વસ્થ રાખે છે.ઓટમીલ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન નિયંત્રણમાં રહે છે.
- બદામની જેમ રાત્રે 2-5 અખરોટ પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી ફાયદો થાય છે.પલાળેલી અખરોટમાં સૂકી અખરોટ કરતા વધારે પોષક તત્વો હોય છે.
- આંતરડાને સ્વસ્થ રાખવાની સાથે પપૈયું ખાવાથી પેટની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.પપૈયાને ભૂખ્યા પેટે ખવતો તે તેમારા માટે સુપરફૂડ છે.પપૈયું દરેક સીઝનમાં ખૂબ આસાનીથી મળી જાય છે.પપૈયાથી કોલેસ્ટરોલ ઘટે છે, હૃદયરોગને મટાડી શકાય છે અને વજન પણ ઘટાડી શકાય છે.
- નાસ્તા પહેલાં એક મુઠ્ઠી કોઈ પણ પ્રકારનો સુકો મેવો એટલેકે કાજુ,બદામ,દ્રાક્ષ ખાવાથી પેટમાં કોઈ તકલીફ થતી નથી.આ માત્ર પાચનમાં સુધારો જ નહીં પરંતુ પેટના પીએચ સ્તરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે.તમારા દૈનિક આહારમાં કિસમિસ, બદામ અને પિસ્તાનો સમાવેશ કરો.સુકામેવાને વધારે પ્રમાણમાં ન ખાઓ, નહીં તો તેનાથી શરીર પર ફોલ્લીઓ થઈ શકે છે.
- બદામમાં મેંગેનીઝ, વિટામિન E, પ્રોટીન, ફાઇબર, ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે.બદામ હંમેશાં રાત્રે પલાળીને સવારે ખાવી જોઈએ.બદામ પલાળ્યા બાદ તેની છાલ સરળતાથી નિકળે છે.બદામની છાલમાં ટેનીન હોય છે જે શરીરમાં પોષક તત્વોના શોષણને રોકે છે.બદામના પોષણ આપવા ઉપરાંત, શરીરને ગરમ પણ રાખે છે.
આ પણ વાંચો…
10 વર્ષીય બાળકીએ માત્ર 58 મિનિટમાં 46 વાનગી બનાવીને, પોતાને નામ કર્યો વર્લ્ડ રેકોર્ડ