ઘરમાં આર્થિક તંગીને દૂર કરવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ
જ્યોતિષ શાસ્ત્ર, 05 જાન્યુઆરીઃ જો તમારા જીવનમાં પણ ગમે તેટલી મહેનત કરવા છંતા તમને સફળતા નથી મળી રહીં તો એક વખત ચકાસી લેજો કે તમારા ઘરમાં વાસ્તુ દોષ તો નથી ને. વાસ્તુ શાસ્ત્રમાં હવા, પાણી અને અગ્નિની ઉર્જાઓની વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ ઉર્જાઓમાં સંતુલન બનાવવાનું મુખ્ય કારણે વિવિધ પ્રકારના યોગ બનાવવાનું હોય છે. એવી માન્યતા છે કે, વાસ્તુ શાસ્ત્રના ઉપાય ખૂબ જ અસરદાર હોય છે. તેથી જ તેના ઉપાયોથી બનાવવામાં આવેલ યોગના અસફળ થવાની સંભાવનાઓ પણ ખૂબ જ ઓછી હોય છે.
વાસ્તુ શાસ્ત્રના જાણકાર અનુસાર, આ ઉપાયોની મદદથી આર્થિક તંગી ખૂબ જ જલ્દી દૂર થઈ શકે છે. કહે છે કે, આ ઉપાયોથી ઘરમાં ધન વૃદ્ધિના યોગ બને છે, તેથી આ વાસ્તુ ટિપ્સને ખૂબ જ કારગર માનવામાં આવે છે.
- ઘણા લોકોના ઘરમાં ફળ અને ખાવા-પીવાની વસ્તુ એમ જ પડેલી સડતી રહે છે. કહેવામાં આવે છે કે, આ સ્થિતિ બનવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા એકત્રિત થઈ જાય છે અને ધન આગમન પર રોક લાગી જાય છે. તેથી કોશિશ કરો કે, તમારા ઘરમાં જે પણ સડેલા ખાદ્ય પદાર્થ હોય તેને બહાર કાઢો અને આગામી વખતે તે જ વસ્તુને લાવો જેને ખાઈને પણ ખતમ કરી શકાય છે.
- વાસ્તુ એક્સપર્ટ્સ જણાવે છે કે, પૂર્વ દિશાની દીવાર પર પીળો રંગ હોવો જોઈએ. કહેવામાં આવે છે કે, આ દિશાથી પોઝિટિવ ઉર્જાનો પ્રવાહ હોય છે અને દિવાલ પર પીળા રંગ અને વધારે શુભ બનાવી ધન આગમનના યોગ બની શકે છે. તેથી ધન પ્રાપ્તિના આ ઉપાયને ખૂબ જ કારગર માનવામાં આવે છે.
- માનવામાં આવે છે કે, જ્યારે ઘરમાં ધન આગમના યોગ બનવાના શરૂ થઈ જાય છે, તો ધીમી ગતિથી થોડા-થોડા પૈસા ઘરમાં આવી ચાલતુ જાય છે. કહેવામાં આવે છે કે, જે લોકો ઓછા પૈસાને જોઈને મોઢુ બનાવે છે, તેમની પાસે અપાર ધન આવી શકતું નથી. તેથી ઓછા પૈસાને પણ ખુશીની સાથે એક્સેપ્ટ કરવાનું શીખો. એક્સપર્ટ જણાવે છે કે, તેનાથી ઘરમાં નેગેટિવ પરિસ્થિતિ બનેલી રહે છે અને ઘરમાં ધન પ્રાપ્તિના યોગ પણ બનતા રહે છે.
આ પણ વાંચો…
રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ, તમામ જગ્યાએ પક્ષીઓના મૃત્યુ આંકમાં વધારો, જાણો શું છે કારણ?