Ind vs Aus:બેટિંગ દરમિયાન ઇજા થતા જાડેજા સિરીઝમાંથી બહાર, આ ફાસ્ટ બોલરને મળ્યું ટીમમાં સ્થાન
અમદાવાદ, 05 ડિસેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી-20 સિરીઝ વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેને કેનબરામાં પ્રથમ ટી20 મુકાબલા દરમિયાન માથામાં ઈજા થઈ હતી.
ઈજા થઇ હોવા છતાં જાડેજા પોતાની બેટિંગ આગળ વધારી અને ભારતને સન્માનજક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. બાદમાં તે ફીલ્ડિંગ અને બોલિંગ માટે મેદાન પર આવ્યો નથી. તેના બદલી ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો. ચહલે 4 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી.
BCCIએ ટ્વીટમાં જણાવ્યું કે, જાડેજા પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. જાડેજાના સ્થાને હવે શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સિરીઝની બીજી ટી20 મેચ સિડનીમાં 6 ડિસેમ્બરે રમાશે.
આ પણ વાંચો..
રાજસ્થાનના મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું-કૃષિ સંબંધિત ત્રણે બિલ ગેરબંધારણીય