Parshottam Rupala

Parshottam Rupala controversy: પરશોત્તમ  રૂપાલાની ઉમેદવારી પર ક્ષત્રિય સમાજનો ખુલ્લો વિરોધ, જાણો શું છે મામલો?

Parshottam Rupala controversy: સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત પુરૂષોતમ રૂપાલા સામે વાંધો છે

whatsapp banner

અમદાવાદ, 28 માર્ચઃ Parshottam Rupala controversy: રાજકોટ બેઠકથી ભાજપે લોકપ્રિય નેતા પરશોત્તમ રૂપાલાને ઉતાર્યા છે. રૂપાલાની ઉમેદવારી પર અહીં ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે. તેની પાછળ રૂપાલાનું એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ મામલે કરણી સેના ગુજરાતના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,’પરશોત્તમ રૂપાલા જાહેરસભામાં બોલ્યા છે, તેનો હું વિરોધ કરૂ છું. અમારે પક્ષ સાથે વિરોધ નથી, માત્ર પરશોત્તમ રૂપાલા સામે વિરોધ છે. ભાજપને સમાજ કરતા રૂપાલા વ્હાલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે.’

આજે અમદાવાદમાં રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહાબેઠક મળી છે. આજની બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા છે. રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવી છે. બેઠકમાં રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે. સમાજના 17 ટકા મતદારો છે. જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Arijit Singh Remembers SSR: અરિજિતને લાઇવ કોન્સર્ટમાં આવી સુશાંત સિંહની યાદ, સિંગર થયો ભાવુક- જુઓ વીડિયો

ગોહિલ સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘પુરૂશોત્તમ રૂપાલાએ વોટ બેંક માટે અન્ય સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી.આગામી સમયમાં પૂતળા દહન પણ કરીશું. તેમણે માફી માગી છે પરંતુ સમાધાન માન્ય નથી. સમાજની એક જ માગ છે કે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અમને ભાજપ સામે કોઈ વાંધો નથી, અમને ફક્ત પુરૂષોતમ રૂપાલા સામે વાંધો છે. રૂપાલા જ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ તેમની તાકાત બતાવશે. સમાજના 17 ટકા મતદારો છે. પરિણામ બદલવાની તાકાત અમારા સમાજમાં છે.’

રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો અને તેનો એક વીડિયો ફરતો થયો હતો. જે પછી રૂપાલાએ સમય પારખીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડનારા પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે. પરશોત્તમ રૂપાલાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો. પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, વિવાદ વકરતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી.

વાયરલ વીડિયો અંગે પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, ‘મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો, તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માંગું છું. આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.’

આ પણ વાંચોઃ Congress Action on Supriya Shrinate: કંગના રનૌત પર વિવાદિત ટિપ્પણી કરવી સુપ્રિયા શ્રીનેતને ભારે પડી, કોંગ્રેસે લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો