ફિલ્મ રામ-સેતુનું શુટિંગ અયોધ્યાથી શરુ કરવા માંગે છે અક્ષય કુમાર, સીએમ યોગી પાસે માંગી મંજૂરી
અમદાવાદ,05 ડિસેમ્બરઃ તાજેતરમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી આદિત્યનાથે મુંબઇ આવીને બોલિવુડના જાણીતા લોકો સાથે મુલાકાત કરીને તેમને પોતાના રાજ્યમાં આવકાર આપ્યો હતો. આ આવકારને અક્ષયે સ્વીકારી લીધું છે. જી, હાં આ મુલાકાત બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય મુજબ અક્ષયકુમાર તેની આગામી ફિલ્મ રામસેતુનું શૂટિંગ ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં કરવા માટે પરમિશન માંગી છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, અક્ષયે સીએમ યોગી આદિત્યનાથ પાસેથી તેની આગામી ફિલ્મ રામ સેતુનાં શૂટિંગ માટે અયોધ્યામાં મંજૂરી માંગી છે . અક્ષયકુમારે તેની આ ફિલ્મની જાહેરાત દિવાળી સમયે કરી હતી જે ફિલ્મ રામ સેતુ અંગેની વાત રજૂ કરે છે. માટે અક્ષયની તીવ્ર ઇચ્છા છે કે તે ફિલ્મનું શૂટિંગ રામનગરી અયોધ્યામાં કરવામાં આવે માટે તેણે તે ફિલ્મનાં શૂટિંગ માટે યુપીના સીએમ પાસે પરમિશન માંગી છે.
ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં શાનદાર ફિલ્મ સિટી બનાવવા જઈ રહ્યા છે. જેને પગલે યોગી આદિત્યનાથે મુંબઈની મુલાકાત લીધી હતી અને અનેક સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં અક્ષય કુમાર, ગોવિંદા, અજય દેવગણ સહિતના અનેક સ્ટાર્સની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો….
શુક્રનો વૃશ્ચિક રાશિમાં થશે પ્રવેશ, જેનાથી આ 6 રાશિના જાતકોની ખુલશે કિસ્મત