uttanpadasana edited

નિયમિત રીતે કરો ઉત્તાન પાદાસન, પેટને લગતી દરેક સમસ્યા થશે દૂર

uttanpadasana edited

અમદાવાદ,05 ડિસેમ્બરઃ અત્યારે ભાગદોડની જીવનશૈલી અને ફાસ્ટફૂડના સેવનથી મોટાભાગના લોકોને પેટને લગતી સમસ્યા થતી હોય છે. પેટની સમસ્યાના કારણે તેમને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખોરાકનું પાચન ન થવાની સ્થિતિમાં શરીર રોગોનું ઘર બને છે. આ સાથે જ શરીરમાં અન્ય બીમારીઓ થવા લાગે છે. જો કે યોગ દ્વારા આ સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે. તો આવો જાણીએ કે આ યોગ કેવી રીતે કરવો?

ઉત્તાનપાદાસન
ઉત્તાનપાદાસન એક એવો યોગ છે જેને કરવાથી તમે પેટની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. પાચન શક્તિ વધારવાની સાથે તે ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે. પેટમાં કબજિયાતની સમસ્યા માટે આ રામબાણ ઉપચાર છે. આ આસન કરવાથી આંતરડા મજબૂત થાય છે. આમ કરવાથી ગેસનો રોગ પણ સમાપ્ત થાય છે.

whatsapp banner 1

આ રીતે કરો આસન
આ આસન કરવા માટે પહેલા જમીન પર સૂઈ જાઓ. હવે તમારા બંને હાથને સાથળની બાજુમાં રાખો. ત્યાર પછી એક ઊંડો શ્વાસ લો અને ધીમે ધીમે તમારા બંને પગ એક સાથે ઊંચા કરો. પગ નીચે કરતાં કરતાં ધીમે ધીમે શ્વાસ બહાર કાઢવો. જમીન પર સૂઈ અને શરીરને ઢીલું છોડી દો.

ઉલ્લેખનીય છે કે, આ આસન કરવા પહેલા સુનિશ્ચિત કરવું કે તમને પેટની કોઈ ગંભીર બીમારી તો નથી. આ ઉપરાંત સ્નાયૂની તકલીફ હોય તેમણે અને ગર્ભવતી મહિલાઓએ પણ આ આસન કરવું જોઈએ નહીં.

આ પણ વાંચો…

ફિલ્મ રામ-સેતુનું શુટિંગ અયોધ્યાથી શરુ કરવા માંગે છે અક્ષય કુમાર, સીએમ યોગી પાસે માંગી મંજૂરી