Amit shah farmer meeting

Discussion on natural farming: વિશ્વ આખાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બનશે : અમિતભાઈ શાહ

Discussion on natural farming: વર્ષ ૨૦૨૫ સુધીમાં સમગ્ર ગાંધીનગર મતક્ષેત્રના પ૦ ટકા કિસાનોને નેચરલ ફાર્મિંગ કરતા બનાવવાની નેમ દર્શાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી

કૃષિ સમૃદ્ધિ, સ્વાસ્થ્યપ્રદ જીવન, પર્યાવરણ પ્રિય સમાજ નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉદીપક બનવા સક્ષમ છે : અમિતભાઈ શાહ

ગાંધીનગર, ૧૫ જાન્યુઆરીઃ Discussion on natural farming: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ખેતીને રસાયણમુકત બનાવી જમીનની ફળદ્રુપતા વધારવા અને પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃદ્ધિની સાચી દિશામાં વિશ્વને વાળવાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી બનવા ના છે. આ સંદર્ભમાં ગૃહ મંત્રીએ કહ્યું કે, દેશમાં દશકો સુધી રાસાયણિક ખાતરોના ઉપયોગથી ખેતી થતી રહી છે. આ કાલબાહ્ય પ્રણાલિના જે પરિણામો જોવા મળ્યા છે તેનાથી સ્વાસ્થ્યપ્રદ જીવન સામે ઘોર સંકટ ઉભું થયું છે.

હવે આ સંકટના તારણો પાયરૂપે પ્રાકૃતિક ખેતી સક્ષમ વિકલ્પરૂપે ઉભરી આવી છે. કિસાનોને આ તરફ વાળીને આવનારા દિવસોમાં વિશ્વ આખાને પ્રાકૃતિક ખેતીની દિશા દર્શાવવામાં આપણા વડાપ્રધાન બ્રાન્ડ એમ્બેસેડર બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રી પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરના ગામોની કિસાનશક્તિ અને ગ્રામીણ કૃષિકારો સાથે પ્રાકૃતિક કૃષિ વિષયક માર્ગદર્શક સેમિનારના અધ્યક્ષસ્થાનેથી વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરી રહ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદ ગ્રામીણ ક્ષેત્રના એક હજારથી વધુ ધરતીપુત્રો, કૃષિકારો અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી અગ્રણીઓ સહભાગી થયા હતા.

Discussion on natural farming

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલ પણ આ પરિસંવાદમાં ગાંધીનગરથી ગૃહ મંત્રી સાથે જોડાયા હતા.કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિ તરફનું આ પ્રયાણ સમયના ચક્રને સાચી દિશા આપનારૂં છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા તેમજ ભૂગર્ભ જળને ઝેરીલું બનતું અટકાવવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી મુક્ત કુદરતી પદ્ધતિ આધારિત ખેતી તરફ હવે સૌએ મીટ માંડી છે. અમિતભાઈ શાહે એમ પણ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રના આ સંકટને પારખીને તેનો વિકલ્પ શોધ્યો છે તથા દેશના ૮ કરોડથી વધુ કિસાનો માટે પ્રાકૃતિક ખેતી લાભદાયી છે તે પ્રતિપાદિત કરતા સરવે પણ કરાવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૌરવ સહ ઉમેર્યું કે, ગુજરાતે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આગેવાની લેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં બે લાખથી વધુ ખેડૂતોને આ માર્ગે વાળ્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા આગામી વર્ષ ર૦ર૫ સુધીમાં ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના ૫૦ ટકા ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ પ્રેરિત કરવાની નેમ આ તકે વ્યકત કરી હતી. ખેડૂતોની આવક વર્ષ ર૦રર સુધીમાં બે ગણી કરવાના પ્રધાન મંત્રીના નિર્ધારમાં સૂર પુરાવતાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ વર્ષ ર૦રર સુધીમાં ગાંધીનગર મત વિસ્તારના તાલુકાના તમામ ગામોમાં ગામદીઠ ૧૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો લક્ષ્ય આપ્યો હતો.

Discussion on natural farming

તેમણે આપણી આવનારી પેઢીને સ્વસ્થ્, તંદુરસ્ત અને સુરક્ષિત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી કૃષિ ક્ષેત્રે આત્મ નિર્ભરતા માટે પ્રેરક આહવાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનો સીધા જ માર્કેટમાં પહોંચે અને ઉપભોકતાઓને શુદ્ધ સાત્વિક ખેતપેદાશો ઘરઆંગણે મળી રહે તે માટે FPO અને ઇ-વ્હીકલનો જે પહેલરૂપ પ્રયોગ કર્યો છે તેને બિરદાવ્યો હતો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ અને ગાંધીનગરના પ્રગતિશીલ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે જમીનની ફળદ્રુપતા ક્ષીણ થઈ રહી છે અને કૃષિ ઉત્પાદન સતત ઘટી રહયું છે. જળ, જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થતાં લોકો અસાધ્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાસાયણિક કૃષિના આ દુષ્પરિણામોને નિવારવા આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું પડશે અને પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.

Discussion on natural farming

રાજ્યપાલએ ઉમેર્યું કે ગત તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે દેશના ૮ કરોડ ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે આત્મનિર્ભર ખેતી-આત્મનિર્ભર ખેડૂત થકી જ આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરી શકાશે. અને ભારતના ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું આ સપનું પ્રાકૃતિક ખેતી થકી જ સાકાર થશે.

વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત પર ભાર મૂકતા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ૬૦ના દાયકામાં રાસાયણિક ખેતી જરૂરિયાત હતી, પણ આજે તેના દુષ્પરિણામો-ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. તેનાથી ૫૦ ટકા જેટલા પાણીનો બચાવ તો થાય જ છે, સાથોસાથ ખેતીની પડતર પણ લગભગ શૂન્ય થઈ જાય છે.

આ અંગે સમજણ આપતા રાજ્યપાલએ જણાવ્યું કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પદ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. હિમાચલ પ્રદેશમાં દોઢ લાખ ખેડૂતો આ ખેતીથી વધુ ઉપજ લેતા થયા છે એ રીતે ગુજરાતમાં પણ બે લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. એટલું જ નહીં, ગત એક મહિનામાં ૧૦ હજાર જેટલા ખેડૂતોને તાલીમબદ્ધ પણ કરાયા છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન માટે રાજભવન ઉપરાંત તજજ્ઞોની ટીમ પણ આ દિશામાં પ્રયત્નશીલ હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો…Union Budget 2022: બજેટ 2022 નું શિડ્યુલ તારીખ, સમય અને પ્રક્રિયા શું છે? વાંચો સંપૂર્ણ માહિતી

હિમાચલ પ્રદેશનું ઉદાહરણ આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, એક અભ્યાસ મુજબ હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ૫૬ ટકા ખર્ચ ઘટવા સાથે ખેડૂતોની આવકમાં ૨૭ ટકાનો વધારો થયો છે. રાજ્યપાલશ્રીએ રસાયણયુકત ખેતીને તિલાંજલિ આપી આપણી પ્રાચીન પરંપરા અનુસાર ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રમાંથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી શકાય છે.

રાજ્યપાલએ ઉમેર્યું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહીં પણ જીવનદર્શન છે. રસાયણોના અંધાધૂંધ ઉપયોગના કારણે પ્રકૃતિને થયેલા નુકસાનના દુષ્પ્રભાવને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિ ક્રાંતિકારી પરિવર્તન છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગના પડકારનો સામનો કરી રહ્યું છે. તેનું કારણ પાણી અને વાતાવરણનું પ્રદૂષણ છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના કારણે પ્રદૂષણ ફેલાયું છે. આજે શ્વાસ લેવાની હવા પણ પ્રદૂષિત થઈ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહેશે. પાણીનો કુદરતી રીતે જમીનમાં સંગ્રહ થશે અને વાતાવરણ શુદ્ધ થશે.

આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં લૉન્ચ કરાયેલાં પ્રાકૃતિક ખેતીના લોગો, ઈ-વેહિકલ અને એપ અંગે રાજ્યપાલએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે આર્થિક સહાય તો અપાતી જ હતી, આજે આ નવા પ્રકલ્પો થકી ખેડૂતોની ઉપજના વેચાણ અને માર્કેટિંગની સુવિધા પણ ઊભી કરાઈ રહી છે. જેના માટે અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.

Whatsapp Join Banner Guj

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી પરના આ પરિસંવાદને કૃષિ સંક્રાંતિ ગણાવતાં કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવે કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું લક્ષ્ય પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવી સાકાર કરવું છે. તેમણે સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, જળ, જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યની રક્ષા માટે હવે ‘બેક ટુ નેચર’ પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે, વિશ્વના બહુધા દેશોમાં નેચરલ ફાર્મિંગ- ઝિરો બજેટ ખેતીના ઉત્પાદનોની મોટી માંગ છે. આપણે આ પદ્ધતિના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે સ્ટેટ પ્રોજેકટ ઇમ્પલીમેન્ટીંગ યુનિટ રાજ્યમાં કાર્યરત કરવાનું આયોજન કર્યું છે, એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

તેમણે હેલ્થ ઇઝ વેલ્થને સાકાર કરવા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદનો અનાજના વ્યાપક ઉપયોગની પણ હિમાયત કરી હતી.
આ સેમિનારમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે સૌને આવકારી સેમિનાર નો હેતુ સ્પષ્ટ કર્યો હતો. રાજ્યમંત્રી મુકેશ પટેલ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્યસચિવ પંકજ કુમાર,કૃષિના અગ્ર સચિવ મનીષ ભાર દ્વાજ, પશુ પાલન સચિવ નલિન ઉપાધ્યાય સહિત વરિષ્ઠ અધિકારીઓ ગાંધીનગર થી અને ધારાસભ્યો,અગ્રણીઓ, પૂર્વમંત્રીઓ વગેરે વિવિધ તાલુકા મથક,જિલ્લા મથકે થી જોડાયા હતા.