Eknath Shinde sworn in as Maharashtra CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ લીધા શપથ, ફડણવીસ બન્યા નાયબ મુખ્યમંત્રી
Eknath Shinde sworn in as Maharashtra CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા
વડોદરા, 30 જૂન: Eknath Shinde sworn in as Maharashtra CM: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શિંદેએ મરાઠીમાં શપથ લીધા હતા. ઉપરાંત ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ અગાઉ દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પોતે સરકારમાં રહેશે નહીં અને બહારથી સરકારને મદદ કરશે. જોકે, બાદમાં જેપી નડ્ડા પોતે મીડિયા સામે આવ્યા અને કહ્યું કે પાર્ટી ઈચ્છે છે કે તેઓ નાયબ મુખ્યમંત્રી બને.
દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ તરીકે નિયુક્ત
પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહેલા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેઓ શપથ લેવા ગયા ત્યારે ધારાસભ્યોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જણાવી દઈએ કે એકનાથ શિંદેએ શિવસેનાના 40 ધારાસભ્યો સાથે 50 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. જ્યારે ભાજપના 106 ધારાસભ્યો છે.
શપથ ગ્રહણ પ્રસંગે એકનાથ શિંદેનો પરિવાર પણ રાજભવન પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી હતા. શિવસેનાના ધારાસભ્યો શપથ ગ્રહણમાં હાજર રહી શક્યા ન હતા. હકીકતમાં, બળવાખોર ધારાસભ્યો હાલમાં ગોવાની હોટલમાં છે. જો કે શપથ દરમિયાન તેમણે ગોવામાં જ હોટલમાં ઉજવણી કરી હતી. શપથ ગ્રહણમાં ભાજપના નેતાઓ પહોંચ્યા.
નડ્ડાએ દેવેન્દ્ર ફડણવીસના ‘બલિદાન’ના વખાણ કર્યા
દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન. આજે એ સાબિત થઈ ગયું છે કે ભાજપને ક્યારેય મુખ્યમંત્રી પદની ઈચ્છા નહોતી. 2019ની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશ નરેન્દ્ર મોદી અને દેવેન્દ્રજીને મળ્યું હતું. . ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના લોભમાં અમને છોડીને વિપક્ષ સાથે મળીને સરકાર બનાવી. તેમણે કહ્યું કે પાર્ટી ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં રહે અને નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળે.