દેશમાં કોરોનાના નવા સ્વરૂપથી સંક્રમિતોની સંખ્યા વધીને ૩૮ થઇ. જાણો ક્યા કેટલા છે…
- યુકેમાં મળી આવેલા નોવલ કોરોના વાયરસના નવા સ્વરૂપ સંબંધિત અપડેટ
- દેશમાં નવા સ્વરૂપથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 38 થઇ
અમદાવાદ, ૦૪, જાન્યુઆરી: યુકેમાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિઅન્ટ જીનોમના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 38 વ્યક્તિ પોઝિટીવ હોવાનું તેમના નમૂનાના પરીક્ષણમાં બહાર આવ્યું છે.
બેંગલુરુ સ્થિતિ NIMHANSમાં 10, હૈદરાબાદ સ્થિત CCMBમાં 3, પૂણે સ્થિ NIVમાં 5, દિલ્હી સ્થિત IGIBમાં 11, નવી દિલ્હી સ્થિત NCDCમાં 8 અને કોલકાતા સ્થિત NCBGમાં 1 નમૂનામાં વાયરસનું નવું સ્વરૂપ મળ્યું છે.
બેંગલુરુ સ્થિત NCBS, InSTEM, હૈદરાબાદ સ્થિત CDFD, ભૂવનેશ્વર સ્થિત ILS અને પૂણે સ્થિત NCCSમાં આજદિન સુધીમાં યુકેના મ્યૂટન્ટ વાયરસ મળ્યા નથી.
અનુક્રમ | સંસ્થા/ લેબોરેટરી | કોની નીચે કામ કરે છે | નવા કોવિડ વાયરસથી સંક્રમિત મળી આવેલા દર્દીઓની સંખ્યા |
1 | નવી દિલ્હી સ્થિત NCDC | MoHFW | 8 |
2 | નવી દિલ્હી સ્થિત IGIB | CSIR | 11 |
3 | NCBG કલ્યાણી (કોલકાતા) | DBT | 1 |
4 | પૂણે સ્થિત NIV | ICMR | 5 |
5 | હૈદરાબાદ સ્થિત CCMB | CSIR | 3 |
6 | બેંગલુરુ સ્થિત NIMHANS | MoHFW | 10 |
કુલ | 38 |
આ તમામ પોઝિટીવ નમૂનાનું 10 INSACOG લેબોરેટરી (NIBMG કોલકાતા, ILS ભૂવનેશ્વર, NIV પૂણે, CCS પૂણે, CCMB હૈદરાબાદ, CDFD હૈદરાબાદ, InSTEM બેંગલુરુ, NIMHANS બેંગલુરુ, IGIB દિલ્હી, NCDC દિલ્હી) ખાતે જીનોમ શ્રૃંખલા માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નવા વાયરસથી સંક્રમિત મળી આવેલા તમામ દર્દીઓને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ ખાતે એક અલગ રૂમમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના નીકટવર્તી સંપર્કોને પણ ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. સહ-મુસાફરો, તેમના પારિવારિક સંપર્કો અને અન્ય લોકોનું પણ સઘન અને વ્યાપક સંપર્ક ટ્રેસિંગ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય નમૂના માટે પણ જીનોમ શ્રૃંખલાનું કામ ચાલી રહ્યું છે.
સમગ્ર પરિસ્થિતિ કાળજીપૂર્વકની દેખરેખ હેઠળ છે અને ઉન્નત દેખરેખ, કન્ટેઇન્મેન્ટ, પરીક્ષણ અને INSACOG લેબોરેટરીઓને નમૂના રવાના કરવા અંગેની સલાહો નિયમિત ધોરણે રાજ્યોને આપવામાં આવી રહી છે.