Yogi

Yogi adityanath on the ramcharitmanas controversy: રામચરિતમાનસના વિવાદ વચ્ચે યોગી આદિત્યનાથે કહી મોટી વાત, જાણો શું કહ્યું…

Yogi adityanath on the ramcharitmanas controversy: અમારા વિકાસના એજન્ડાને પાટા પરથી ઉતારવા માટે કરાઈ રહ્યો છે રામચરિતમાનસના મુદ્દાનો ઉપયોગ: CM યોગી

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી: Yogi adityanath on the ramcharitmanas controversy: રામચરિતમાનસના વિવાદ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી વાત કહી છે. સીએમ યોગીએ રામચરિતમાનસને લઈને ઉભા થઈ રહેલા વિવાદ પર ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે આ મુદ્દો એવા લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે જેઓ સમાજમાં વાતાવરણ બગાડવા માંગે છે. રાજ્ય સરકારના વિકાસના એજન્ડાને પાટા પરથી ઉતારવા માંગે છે.

રામચરિતમાનસ વિવાદ પર પહેલીવાર પ્રતિક્રિયા આપતા સીએમ યોગીએ કહ્યું કે જેમની પાસે રાજ્યના વિકાસમાં યોગદાન આપવા માટે કંઈ નથી. જે લોકોએ ભૂતકાળમાં તેની છબીને કલંકિત કરી દીધી હતી. યુપીના યુવાનો માટે ઓળખ સંકટ ઉભું. લોકોની સામે ભવિષ્ય બરાબર દેખાતું ન હતું. હવે આ લોકો ‘નવા યુપી’માં બેચેન છે.

સીએમ યોગી આદિત્યનાથે સપા ધારાસભ્ય સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણીને ટાંકીને કહ્યું કે જ્યારે અમે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ (જીઆઈએસ) આયોજિત કરવાના છીએ, ત્યારે તેઓ વિકાસ અને રોકાણ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે આવા નકામા મુદ્દા ઉઠાવી રહ્યા છે. હકીકતમાં, સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાન પુસ્તકને ‘દલિત વિરોધી’ ગણાવ્યું છે. સપાના વડા અખિલેશ યાદવે પણ મૌર્યને ટેકો આપતા કહ્યું છે કે તેઓ સીએમ યોગીને યુપીના પૂર્વ મંત્રી દ્વારા ઉલ્લેખિત શ્લોકોનો વાસ્તવિક અર્થ પૂછશે. સ્વામી પ્રસાદ મૌર્ય યુપી ચૂંટણી 2022 પહેલા ભાજપ છોડીને સપામાં જોડાયા હતા.

શ્લોકોના અર્થ પર કહી આ મોટી વાત 

CM યોગી શ્લોકોનો સાચો અર્થ કેમ નથી સમજાવતા, સવાલનો જવાબ પોતાની શૈલીમાં આપ્યો. તેમણે કહ્યું કે એ લોકોને સમજાવવા જે કોઈ બોલી અને તેની જીણવટની સમજ નથી ધરાવતા, સમયનો વ્યય થશે. સીએમએ કહ્યું કે આ ડહાપણ અને સમજણની વાત છે. કયા શબ્દને કઈ બોલીમાં લખવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ જગ્યાએ તે શબ્દનો અર્થ શું છે? આ સમજવા માટે ઓછામાં ઓછી પૂરતી બુદ્ધિ અને તર્ક હોવો જોઈએ.

CM યોગી અખિલેશને જવાબ આપશે? તેના પર મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે જવાબ આપવાની જરૂર પડશે ત્યારે હું તેમને જવાબ આપીશ. દરમિયાન, મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કમિશનરેટમાં ગુનાખોરીના ગ્રાફમાં તીવ્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે છેલ્લા છ વર્ષમાં રાજ્યની છબી ઘણી સુધરી છે અને રોકાણકારો યુપીમાં આવવા ઇચ્છુક છે.

રોકાણનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે

સીએમ યોગીએ દાવો કર્યો કે રાજ્યમાં રોકાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વિદેશમાં અને ભારતના આઠ શહેરોમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. લખનઉમાં યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2018 દરમિયાન હસ્તાક્ષર કરાયેલા 75 ટકા એમઓયુ લાગુ કરવામાં આવ્યા છે.

યોગીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિખર સંમેલન શરૂઆતમાં નિર્ધારિત 10 લાખ કરોડ રૂપિયાના લક્ષ્ય કરતાં ઘણું વધારે હાંસલ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અમે અમારા રોડ-શો દરમિયાન તે લક્ષ્યને પાર કરી ચૂક્યા છીએ. આ એવી સરકાર છે જે કહે છે તે કરે છે. અન્ય કોઈપણ સરકારથી વિપરીત, પ્રથમ ઈન્વેસ્ટર્સ સમિટના બે વર્ષ પછી, અમે કોવિડ રોગચાળા છતાં ત્રણ ગ્રાઉન્ડ બ્રેકિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં સફળ રહ્યા છીએ.

રાજ્યના દરેક જિલ્લામાં રોકાણ

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય દરેક જિલ્લામાં રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. છેલ્લા છ વર્ષમાં અમારી સરકાર દરેક જિલ્લાને સમાન રીતે વિકાસના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉની સરકારો પર પ્રહાર કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા માત્ર એનસીઆર પ્રદેશ પર જ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં દરેક જિલ્લાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ 75 જિલ્લામાં રોકાણની દરખાસ્તો મળી રહી છે. તેઓ સમિટ દરમિયાન પણ જોડાયેલા રહેશે.

ગુનાખોરી અટકાવવી પ્રાથમિકતા

સીએમ યોગીએ કહ્યું કે ગુનાખોરી અટકાવવી પ્રાથમિકતા યાદીમાં હોવી જોઈએ. તેમણે કહ્યું કે કમિશનરેટ સિસ્ટમને લઈને પડકારો હતા. પરંતુ, તેનો વિસ્તાર કરવામાં આવ્યો. તેની અસર હવે દેખાવા લાગી છે. સીએમ કહે છે કે અમે માનીએ છીએ કે સંકટના સમયે વ્યક્તિએ નિર્ણય લેવો જોઈએ. તેનો અમલ નીચલા સ્તરે થવો જોઈએ. કમિશનરેટ તંત્રે આવુ જ કર્યું છે. NCRBના ડેટા અનુસાર, અગાઉ બનેલા ચાર કમિશનરેટમાં ગુનાખોરીના ગ્રાફમાં તીવ્ર ઘટાડો થયો છે. તેથી અમે વધુ ત્રણ કમિશનરેટની સ્થાપના કરી છે.

માફિયાઓ માટે બુલડોઝર

બહુચર્ચિત બુલડોઝર પર યોગીએ કહ્યું કે અમે સરકાર અથવા લોકોની સુરક્ષાને પડકારનારા કોઈપણ માફિયા અથવા અપરાધી વિરુદ્ધ કાયદાના દાયરામાં રહીને કાર્યવાહી કરી છે. બુલડોઝરની કાર્યવાહી વ્યાવસાયિક ગુનેગારો અને માફિયાઓ માટે છે, સામાન્ય માણસ માટે નહીં.

સીએમએ કહ્યું કે યુપીનું આગામી બજેટ રાજ્યના 25 કરોડ લોકોની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે કહ્યું કે આ ચોક્કસપણે ઉત્તર પ્રદેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા મુજબ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે છેલ્લા ચાર વર્ષમાં કરેલા પ્રયાસોને પ્રતિબિંબિત કરશે.

આ પણ વાંચો: Adani group cancels FPO: અદાણી ગ્રૂપનો મોટો નિર્ણય, 20 હજાર કરોડના FPO કર્યા રદ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો