કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ તારીખથી ૪૫ વર્ષની ઉંમરના દરેક વ્યક્તિને મફતમાં મળશે વેક્સિન(vaccine)
ગાંધીનગર, 23 માર્ચઃ હાલ સિનિયર સિટીજનને વેક્સિનેશન આપવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાં આજે મોદી સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ 1 એપ્રિલ પછી ૪૫ વર્ષ ઉંમરથી ઉપરની દરેક વ્યક્તિ હવે કોરોનાની રસી(vaccine) મફત લઇ શકશે.
આ માટે કોઇ વિશેષ અને અલગ વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલ જે મોજુદા રજીસ્ટ્રેશન ની વ્યવસ્થા છે તે વ્યવસ્થા હેઠળ તેઓ વેક્સિન લઇ શકશે. સરકારે જાહેરાત કરી છે કે તેમની પાસે પૂરતા પ્રમાણમાં રસી(vaccine)ની વ્યવસ્થા છે. આથી દરેક વ્યક્તિને રસી મળી શકશે.
આ પણ વાંચો…