Atal bihari vajpayee death anniversary

Atal bihari vajpayee death anniversary: અટલ બિહારી વાજપેયીજીની ત્રીજી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને સદૈવ અટલ સ્મૃતિ સ્થળે પહોંચીને કર્યું વંદન

Atal bihari vajpayee death anniversary: અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે પહોંચ્યા હતા

નવી દિલ્હી, 16 ઓગષ્ટઃ Atal bihari vajpayee death anniversary: દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:30 કલાકે દિલ્હી ખાતે સદૈવ અટલ સ્મૃતિ સ્થળ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આયોજિત પ્રાર્થના સભામાં હિસ્સો લઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ પણ વાંચોઃ Horrible scene in kabul: કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, કાબુલથી નિકળવા વિમાનના પૈડા પર લટક્યા ત્રણ લોકો- જુઓ વીડિયો 

ત્યાર બાદ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સ્મૃતિ સ્થળ પર પુષ્પ ચઢાવીને નમન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્મૃતિ સ્થળ ‘સદૈવ અટલ’ ખાતે પહોંચીને તેમને યાદ કર્યા હતા. 

Whatsapp Join Banner Guj