વધતા કોરોનાના કેસના લીધે સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ સમગ્ર ગુજરાતની ધો 1 થી 9 ની શાળાઓ(Gujarat Schools Closed) અગામી આદેશ સુધી રહેશે બંધ
ગાંધીનગર, 03 એપ્રિલઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં (Gujarat Schools Closed) સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ (Stop Teaching Work) રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ(Gujarat Schools Closed)ને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય ઓફ લાઇન એજ્યુકેશન માટે છે, ઓન લાઇન શિક્ષણ રાબેતા મુજબ રહેશે.
આ પણ વાંચો…
ઐયર ભાઇને આ રીતે મળ્યો બબીતા(iyer babita)ના પતિનો રોલ? વાંચો આ રસપ્રદ કહાની