Door to Door Covid Test 2

મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે

  • કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ ભરાતા પગલાં
  • મેડિકલ – નોનમેડિકલ કર્મીઓની ટીમ ડોર-ટુ-ડોર જનઆરોગ્યનો કરી રહી છે સર્વે
  • નિયત પત્રકમાં ગ્રામજનોની આરોગ્ય વિષયક વિગતોને એકત્ર કરીને કરાતું વર્ગીકરણ
  • લોકોના આરોગ્યની સ્થિતિને ચાર પ્રકારે વર્ગીકૃત કરીને દવાઓની સાથે અપાતું જરૂરી માર્ગદર્શન

રાજકોટ,૦૮ સપ્ટેમ્બર:કોરોનાવાયરસના સંક્રમણની ખાળવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલનો મેડિકલ કર્મીઓ ટુકડીઓ બનાવી સઘન હેલ્થ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જન આરોગ્ય અને કોરોના વાયરસના સંક્રમણનો યોગ્ય તાગ મેળવવા નિયત પત્રકમાં લોકોના આરોગ્ય વિષયક માહિતી એકત્ર કરીને તેનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, સચોટ માહિતીના આધારે સંક્રમણ અટકાવવા અને યોગ્ય સારવારની તકેદારી લેવામાં આવી રહી છે.

Banner City 1

 જસદણના મદાવા ગામ ખાતેસર્વે કામગીરીનું નિરીક્ષણ કરવા પોહચેલા કમળાપુરના પેટા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર શ્રી ધવલ દેસાઇ  કહે છે કે, આશાવર્કર, આંગણવાડી વર્કર, એમ.પી.એચ.ડબલ્યુ, પી.એચ.ડબલ્યુ અને શિક્ષકોનો સમાવેશ કરેલ ટુકડીઓ ડોર-ટુ-ડોર જઇને લોકોના આરોગ્ય વિષયક માહિતી એકત્ર કરવાની સાથે લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. સર્વેલન્સ દરમિયાન કોઈ શંકાસ્પદ જણાય તો તુરંત તેમને રેપિડ એન ટેસ્ટ કરાવવા માટે અનુરોધ કરવામાં આવે છે. લોકોને ઘર બેઠા ટેસ્ટ કરાવવો હોય તો તેમના ઘરે આવીને  પીપીઈ કીટ અને જરૂરી ઉપકરણોથી સજ્જ મેડિકલ ટીમ દ્વારા રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉપરાંત કમળાપુર પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ લોકોને પોતાનો ટેસ્ટ કરાવવા માટે વિકલ્પ આપવામાં આવે છે.

 હેલ્થ સર્વેલન્સ દરમિયાન પલ્સ ઓક્ષીમીટર, થર્મલ ગન, મેડિકલ ઉપકરણો સાથે લોકોનું ચેકઅપ કરવામાં આવે છે. સાથે જ જરૂરી દવાઓ પણ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમ ડો. શ્રી ગોંસાઈએ જણાવ્યું હતું.

 સર્વે નિયત પત્રકમાં જનઆરોગ્યનું સંપૂર્ણ સ્વસ્થ, ૬૦થી વધુ ઉંમરના અન્ય કોઈ બિમારી અંગેની દવાઓ લઇ રહ્યા હોય, કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેમજ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને હેલ્થ ચેકઅપમાં અસહકાર આપ્યો હોય.

 આમ, ચાર પ્રકારે લોકોના આરોગ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને હેલ્થ ચેકઅપના આધારે સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે તેમ ડૉ. શ્રી ગોંસાઈએ ઉમેર્યું હતું.