નેશનલ હાઇવે(national highway) પર જતા પહેલા જાણી લેજો આ માહિતીઃ 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો- વાંચો સંપૂર્ણ માહિતી
ગાંધીનગર, 28 માર્ચઃ પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા(national highway) પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ હાઈવે(national highway) ઓથોરિટી ઑફ ઇન્ડિયા દર વર્ષે વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરવામાં આવેલી ફોર્મ્યુલાને આધારે ટોલ(national highway)ના નવા દર નક્કી કરે છે. આ ફોર્મ્યુલા મુજબ આ વરસે છથી સાત ટકાનો વધારો આવવાની ધારણા મૂકવામાં આવી રહી છે.
વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સના આંક 31મી માર્ચે આવે છે તેને આધારે નક્કી કરેલી ફોર્મ્યુલા મુજબ ટોલ ચાર્જિસમાં વધારો કરવામાં આવે છે. ડબ્લ્યુપીઆઈના 40થી 50 ટકા જેટલો વધારો અમલમાં મૂકવામાં આવે છે. વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સની એવરેજ કાઢીને તેને આધારે ફોર્મ્યુલા મુજબનો વધારો કરવામાં આવે છે. ટોલ પ્લાઝા(national highway) પર ઊભા ન રહેવું પડે તે માટે માસિક પાસ પણ ઇશ્યૂ કરવામાં આવે છે. આ પાસની કિંતમાં પણ મહિને રૂા. 10થી 20નો વધારો આવી શકે છે. ફેબુ્રઆરીની મધ્યમાં દરેક વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દેવાની કરવામાં આવેલી જાહેરાત બાદ હવે ટોલ ચાર્જિસમાં વધારો કરવાનું આયોજન ચાલી રહ્યા છે.
ફાસ્ટેગનો ઉપયોગ કરીને ખાસ તો ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની ફરજ ન પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલું લઈને ટોલ પ્લાઝા પર વાહનોને ઊભા રહેવાની પડતી ફરજને કારણે દર વર્ષે રૂા.2000 કરોડના પેટ્રોલ, ડિઝલ અને અન્ય ઇંધણનું નુકસાન થાય છે.નેશનલ હાઈવે(national highway) પર પણ પીક અવર્સ અને નોન પીક અવર્સ પ્રમાણે ચાર્જ લેવી તેમ છે. પીક અવર્સ એટલે કે ભારે ધસારાના સમયગાળા દરમિયાન કોઈ વાહન લઈ જાય તેવા સંજોગોમાં તેમણે વધુ રકમ ટોલ તરીકે ચૂકવવી પડશે. નોન પીક અવર્સમાં જનારાઓને વાહનની પાસે ઓછો ટોલ લેવામાં આવશે.
આ પણ વાંચો…