sunny deol

દીપ સિદ્ધુથી સની દેઓલ કરી લીધો કિનારો, ટ્વિટ કરીને કહી આ મોટી વાત

sunny deol

બોલિવુડ ડેસ્ક, 27 જાન્યુઆરીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી દ્વારા હિંસા થઇ હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઇ. અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓએ પબ્લિક પ્રોપર્ટીએ નુકશાન પહોંચાડવાનો હોબાળો થયો હતો. આંદોલનકારી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા. જ્યાં નિશાન સાહિબ ફરકાવ્યા બાદ સમગ્ર દેશમાં બબાલનો માહોલ બન્યો હતો. જેમાં હિંસાને લઇ પંજાબના અભિનાતા અને સિંગર દીપ સિદ્ધુનું નામ સામે આવી રહ્યું છે. ભારતીય કિસાન યૂનિયન હરિયાણાના પ્રમુખ ગુરુનામ સિંહ ચઢૂનીએ દીપ સિદ્ધૂ પર પ્રદર્શનકારીઓને ઉશ્કેરવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. સાથે જ જ્યારે દીપ સિદ્ધૂનું નામ આ મામલે સામે આવ્યું છે. તો બીજી તરફ દીપનું કનેક્શન ફિલ્મ અભિનેતા અને બીજેપી સાંસદ સની દેઓલ સાથે પણ જોડવામાં આવ્યું.

સ્વરાજ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દીપ સિદ્ધૂ ચૂંટણીમાં સની દેઓલનો એજન્ટ રહ્યો છે. આ પ્રકારની ખબર જ્યારે આવી, તો સની દેઓલે ટ્વીટ કરતાં પોતાની વાત રજૂ કરી. સની દેઓલે 26 જાન્યુઆરીએ ટ્વીટ કર્યુ, આજે લાલ કિલ્લા પર જે થયું, તેને જોઇને મન ખૂબ દુખી થયુ છે. હું પહેલા પણ 6 ડિસેમ્બરે ટ્વિટરના માધ્યમથી તે સ્પષ્ટ કરી ચુક્યો છું કે મારે અથવા મારા પરિવારને દીપ સિદ્ધૂ સાથે કોઇ સંબંધ નથી.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધૂ અને તેના ભાઇ મનદીપને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતુ. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલન સાથે જોડાયેલો છે અને પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યો છે. એનઆઇએના ઑફિસરે બંને ભાઇઓની શીખ ફૉર જસ્ટિસ નામના અલગાવવાદી સંગઠન વિરુદ્ધ દાખલ એક કેસ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે દીપ સિંહ સિદ્ધૂએ કહ્યું હતું કે તેને શીખ ફૉર જસ્ટિસ નામના કોઇ સંગઠન સાથે કોઇ લેવા દેવા નથી. તેમણે કહ્યું કે એનઆઇએ દ્વારા સમન મોકલીને કેન્દ્ર ખેડૂતોનો સાથ આપી રહેલા લોકોને ધમકાવવા ઇચ્છે છે.

આ પણ વાંચો…

કિસાન આંદોલનઃ મંગળવારે થયેલી હિંસામાં દિલ્હી પોલિસે 15 એફઆઇઆર ફાઇલ કરી, 86 પોલીસ કર્મીઓને થઇ ઇજા