સીરિયલ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ગુલાબોનું નિધન, એક્ટ્રેસ કોરોના સામે હારી જંગ
અમદાવાદ, 07 ડિસેમ્બરઃ ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી સંક્રમિત હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. અભિનેત્રીને ન્યુમોનિયા થયો હતો. ત્યારે બીજી તરફ દિવ્યાની હાલત અત્યંત ગંભીર હતી, તેમનું ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હતું.
ત્યાર બાદ તેમના કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર ઘણા દિવસો સુધી જીંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ બિમારીને માત આપી શક્યા નહી અને 34 વયે નિધન થઈ ગયું. ઉલ્લેખનીય છે કે, કોરોનાની સામે આ અગાઉ પણ ઘણા કલાકારો જંગ હારી ગયા હતા. જેના કારણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો…
આજ રાતથી રાત્રિ કરફ્યું લંબાવાની થશે જાહેરાત, યંગસ્ટર્સને નહીં ઉજવવા મળે થર્ટી ફસ્ટ