The Taliban appealed to Hindus and Sikhs: તાલિબાને હિંદુ અને શીખોને અફધાનીસ્તાન પરત ફરવાની કરી અપીલ
The Taliban appealed to Hindus and Sikhs: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન દરમિયાન, માત્ર હિંદુઓ અને શીખો જ નહીં, શિયા સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળો પણ ઉગ્રવાદીઓના હુમલાનું નિશાન બન્યા છે.
The Taliban appealed to Hindus and Sikhs: તાલિબાને સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ વણસી ગઈ છે. લઘુમતી સમુદાયના લોકો પર હુમલા સામાન્ય બાબત છે. આ કારણોસર, ખાસ કરીને હિન્દુઓ અને શીખોએ દેશમાંથી સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. હવે તાલિબાન ગૃહ મંત્રાલયના અધિકારી ઓ આ સમુદાયના નેતાઓને મળ્યા છે અને દાવો કર્યો છે કે દેશમાં સુરક્ષા સમસ્યા હલ થઈ ગઈ છે. તેથી હિન્દુઓ અને શીખ સમુદાયના લોકોએ પરત ફરવું જોઈએ.
“અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ હવે ઘણી સારી છે,” તાલિબાનના ચીફ ઓફ સ્ટાફ ડૉ. મુલ્લા વાસીના કાર્યાલયે 24 જુલાઈએ અફઘાનિસ્તાનની હિંદુ અને શીખ પરિષદના સભ્યોને મળ્યા પછી એક ટ્વિટમાં જણાવ્યું હતું. ટ્વિટ અનુસાર, બેઠક દરમિયાન, કાઉન્સિલના સભ્યોએ ઇસ્લામિક સ્ટેટના ખોરાસાન જૂથ દ્વારા કાબુલમાં કર્તા-એ-પરવાન ગુરુદ્વારા પરના હુમલા દરમિયાન અસરકારક કાર્યવાહી કરવા બદલ તાલિબાનનો આભાર પણ માન્યો.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન દરમિયાન, માત્ર હિંદુઓ અને શીખો જ નહીં, શિયા સમુદાયના લોકો અને તેમના ધાર્મિક સ્થળો પણ ઉગ્રવાદીઓના હુમલાનું નિશાન બન્યા છે. થોડા દિવસો પહેલા શિયાઓના ધાર્મિક અને શૈક્ષણિક સ્થળો પર હુમલાનો સિલસિલો શરૂ થયો હતો.
ગુરુદ્વારાના પુનઃનિર્માણ માટે અફઘાની કરન્સી પ્રમાણે ખર્ચ થશે 75 લાખ
કાબુલના કર્તા-એ-પરવાન ગુરુદ્વારા પર 18 જૂને ISના ખોરાસાન જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તાલિબાન દ્વારા તૈનાત એક ગાર્ડ અને એક શીખ માર્યા ગયા હતા. આ ગુરુદ્વારામાં, અફઘાનિસ્તાનમાં બાકીના શીખો, જેઓ ભારત પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે, તેમણે આશ્રય લીધો હતો. હુમલામાં ગુરુદ્વારાની ઇમારતને ખૂબ નુકસાન થયું હતું.
ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે ગુરુદ્વારાની ઘણી મુલાકાત લીધી હતી અને ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. ગુરુદ્વારાને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક ટેકનિકલ ટીમ પણ મોકલવામાં આવી હતી. હવે તાલિબાન પોતાના રિપોર્ટના આધારે ઈમારતના પુનઃનિર્માણ માટે 75 લાખ અફઘાની કરન્સી ખર્ચ કરવા સંમત થયા છે.