16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે
16 માર્ચ થી અમદાવાદ – પુણે (Ahmedabad – Pune) દુરંતો સ્પેશ્યલ ચાલશે
અમદાવાદ , ૧૩ માર્ચ: Ahmedabad – Pune: રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને કોવિડ -19 પહેલા ચલાવવામાં આવતી અમદાવાદ – પુણે દુરંતો એક્સપ્રેસને ફરીથી ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે: –
ટ્રેન નંબર 02297/02298 અમદાવાદ-પુણે-(Ahmedabad – Pune)અમદાવાદ દુરંતો સ્પેશ્યલ (અઠવાડિયામાં 3 દિવસ)
ટ્રેન નંબર 02297 અમદાવાદ – પુણે (Ahmedabad – Pune)સ્પેશ્યલ 16 માર્ચ 2021 થી દર મંગળવાર, શુક્રવાર અને રવિવારે અમદાવાદથી રાત્રે 22:30 વાગ્યે ચાલીને બીજા દિવસે સવારે 07:10 વાગ્યે પુણે પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 02298 પુણે – અમદાવાદ સ્પેશ્યલ 15 માર્ચ 2021 થી દર સોમવાર, ગુરુવાર અને શનિવારે પુણેથી રાત્રે 21:35 વાગ્યે ચાલીને સવારે 06:25 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન વસઇ રોડ અને લોનાવાલા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 02297 નું બુકિંગ 15 માર્ચ, 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
આ પણ વાંચો…વિદેશી એપને ટક્કર આપવા ભારતએ લોન્ચ કરી સ્વદેશી Bharat E market મોબાઇલ એપ- વાંચો વિગત